હજારો વર્ષ પહેલા થયેલા મહાભારત યુદ્ધ પહેલા કારતક મહિનામાં બે વખત ગ્રહણ થયા હતા. ત્યારબાદ થયેલા મહાયુદ્ધમાં લાખો લોકો મરી ગયા હતા. આ વખતે પછી કારતક મહિનામાં બે વખત ગ્રહણ આવી રહ્યાં છે.
કારતક મહિનામાં બે વખત ગ્રહણ
25 ઓક્ટોબરે થતા સૂર્યગ્રહણ પર ખાસ શું રહેશે
મહાભારત યુદ્ધની જેમ કોઈ મોટી અનહોની થશે?
25 ઓક્ટોબરે થશે સૂર્ય ગ્રહણ
આખરે આ કઈ વાત તરફ ઈશારો કરી રહ્યું છે. આ વખતે કારતક મહિનો ઘણી આશંકાઓ અને અનિશ્ચિતતા વચ્ચે આવ્યો છે. આ મહિનામાં 15 દિવસમાં બે વખત ગ્રહણ આવી રહ્યાં છે. આવી ઘટના મહાભારત યુદ્ધ પહેલા કારતક મહિનામાં થઇ હતી. ત્યારબાદ જંગમાં લાખો લોકો મરી ગયા હતા. તો શું આ વખતે પણ મહાભારત યુદ્ધની જેમ કોઈ મોટી અનહોની થઇ રહી છે. જેને લઇને મોટી ચિંતા દર્શાવાઈ રહી છે. આવો જાણીએ છીએ કે 25 ઓક્ટોબરે થતા સૂર્યગ્રહણ પર ખાસ શું રહેશે.
25 ઓક્ટોબરે સવારે 11.28થી થશે ગ્રહણ
ખગોળ શાસ્ત્રીઓ મુજબ 25 ઓક્ટોબરે આ વર્ષનુ બીજુ સૂર્ય ગ્રહણ લાગશે. દેશમાં આ ગ્રહણની શરૂઆત 25 ઓક્ટોબરે સવારે 11.28 વાગ્યે થશે. આશરે 7.05 કલાક બાદ સાંજે 5.24 વાગ્યે આ ગ્રહણ પૂર્ણ થશે. જેનાથી 12 કલાક પહેલા એટલેકે 24 ઓક્ટોબરની રાત્રે 11.28 વાગ્યે સૂતક કાળ શરૂ થઇ જશે. જેને પગલે દિવાળીની બીજી સવારે ગોવર્ધનપૂજાના બદલે ગ્રહણના સૂતક કાળમાં વિતશે.
સૂર્યનો 44 ટકા ભાગ રહેશે પ્રભાવિત
જ્યોતિષીઓ મુજબ આ સૂર્ય ગ્રહણ પૂર્વોત્તર ભારતને છોડીને બાકીના ભારતમાં જોવા મળશે. આ વખતનુ સૂર્ય ગ્રહણ સૂર્ય, ચંદ્ર, શુક્ર અને કેતુ ગ્રહની યુતિમાં પડશે. કાનાની નગરી મથુરામાં આ સૂર્યગ્રહણ 25 ઓક્ટોબરે સાંજે 4.32 વાગ્યે શરૂ થશે અને સાંજે 5.42 વાગ્યા સુધી ચાલશે. આ સૂર્ય ગ્રહણ દરમ્યાન સૂર્યાસ્ત પણ થશે. શહેરમાં આ ગ્રહણ આશરે 1 કલાક 10 મિનિટનુ રહેશે. આ વખતે ગ્રહણથી સૂર્ય 44 ટકા ભાગ ગ્રસિત રહેશે.