વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની આગેવાની વાળી NDA સરકારને સતત બીજી વાર સત્તામાં આવ્યા બાદ પોતાના 100 દિવસ પૂર્ણ કર્યા છે. એક તરફ સરકાર જ્હાં પોતાની ઉપલબ્ધિઓના વખાણ કરી રહી છે. ત્યારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ મોદી સરકારને 'વિકાસ રહીત' 100 દિવસ માટે 'અભિનંદન' આપ્યા.
એમણે આરોપ લગાવ્યો છે કે 'સંકટમાં ઘેરાયેલી અર્થવ્યવસ્થા' ને બહાર લાવવા માટે નેતૃત્વ, દિશા અને યોજનાઓનો સ્પષ્ટ અભાવ રહ્યો છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું કે, 'મોદી સરકારે વિકાસ રહિત 100 દિવસ પૂર્ણ કરવા અભિનંદન, લોકતંત્રનો ખતમ કરવું, ટીકાઓ કરનાર પર લગામ લગાવવા માટે ઘુંટણીએ પડનાર મીડિયા પર સકંજો કસવા અને નેતૃત્વ, દિશા અને યોજનાઓની સ્પષ્ટ કમી, જ્યાં સંકટમાં ઘેરાયેલી અર્થવ્યવસ્થાને બહાર લાવવા તેમની સૌથી વધારે જરૂર છે.'
Congratulations to the Modi Govt on #100DaysNoVikas, the continued subversion of democracy, a firmer stranglehold on a submissive media to drown out criticism and a glaring lack of leadership, direction & plans where it’s needed the most - to turnaround our ravaged economy.
નોંધનીય છે કે મોદી સરકાર 2.0ને સત્તામાં આવ્યાને 100 દિવસ પૂર્ણ કર્યા છે. ત્ચારે સરકાર પોતાની ઉપલબ્ધિઓ ગણાવી રહી છે જ્યારે વિપક્ષીની પાર્ટીઓ ટીકા કરી રહી છે.
બીજી તરફ ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું છે કે મોદી સરકાર સમાજના તમામ વર્ગ માટે 'આશાનું કિરણ' અને રાષ્ટ્રીય સુરક્ષા, વિકાસ અને ગરીબોના કલ્યાણનો 'પર્યાપ' છે. મોદી સરકારના 100 દિવસ પૂર્ણ થવા પર શાહે એમ પણ કહ્યું કે આ સમયની અંદર એમણે અનુચ્છેદ 370 હેઠળ જમ્મૂ કાશ્મીરનો વિશેષ દરજ્જો હટાવવા સહિત ઘણા 'ઐતિહાસિક નિર્ણય' લીધા.
मोदी 2.0 के ऐतिहासिक उपलब्धियों से पूर्ण 100 दिनों पर प्रधानमंत्री @narendramodi जी और मंत्रिमंडल के अपने सभी साथियों को हृदय से बधाई देता हूँ।
साथ ही मैं समस्त देशवासियों को विश्वास दिलाता हूँ कि मोदी सरकार आपके विकास, कल्याण और सुरक्षा के लिए निरंतर कटिबद्ध है।#MODIfied100
જ્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સરકાર પર નિશાન સાધ્યું. પ્રિયંકા ગાંધીએ રવિવારે કહ્યું કે મોદી સરકાર અર્થવ્યવસ્થા ચોપટ કરી મૌન ધારણ કરીને બેસી છે. આ પહેલા શનિવારે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે અર્થવ્યવસ્થામાં મંદી અને વાહનોના વેચાણમાં ઘટાડાને લઇને સરકાર પર નિશાન સાધ્યું. એમણે કહ્યું કે સરકાર પોતાના 100 દિવસોની ઉજવણી કરી રહી છે, જે ઘણા ઔધોગિક ક્ષેત્રો માટે 'બરબાદીની ઉજવણી' છે.
अर्थव्यवस्था करके चौपट
मौन बैठी है सरकार
संकट में हैं कम्पनियाँ
ठप्प हो रहा व्यापार
જ્યારે, વરિષ્ઠ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે પણ કેન્દ્ર સરકારના 100 દિવસ પૂર્ણ થવા પર પ્રેસ કોન્ફરન્સ કરી મંદીને કારણે ગૂમાવેલી નોકરીઓ પર સવાલ પૂછ્યો છે. એમણે કહ્યું છે કે વડાપ્રધાન બતાવે કે દેશની અર્થવ્યવસ્થા ડામાડોળ કેમ છે.