કોંગ્રેસ નેતા સંજય નિરુપમે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને દોષિત ઠેરવ્યા છે. સંજય નિરુપમે ઉદ્ધવ ઠાકરે પર ગઠબંધનની સહયોગી પાર્ટીઓ સાથે સંવાદ નહીં કરવાનો આરોપ લગાવ્યો છે.
સંજય નિરુપમે ઉદ્ધવ ઠાકરે પર ગઠબંધનની સહયોગી પાર્ટીઓ સાથે સંવાદ નહીં કરવાનો આરોપ લગાવ્યો
આ પહેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસ મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં પ્રમુખ 'ડિસીજન મેકર નહીં' હોવાનું આપ્યું હતું નિવેદન
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તરફથી કોંગ્રેસના મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં પ્રમુખ 'ડિસીજન મેકર નહીં' હોવા સંબંધી નિવેદન બાદ સંજય નિરુપમની આ ટિપ્પણીને ઉદ્ધવ ઠાકરે સરકારના ભવિષ્યને લઇને શંકાની સ્થિતિ પેદા કરી છે.
સંજય નિરુપમ પહેલા શિવસેનામાં હતા, બાદમાં તેઓ કોંગ્રેસમાં સામેલ થયા હતા. કોંગ્રેસના નેતા સંજય નિરુપમનું કહેવું છે કે મુખ્યમંત્રીએ મીડિયા કરતા વધારે પોતાના ગઠબંધના સહયોગીઓ સાથે વાતચીત કરવી જોઇએ. તેઓએ કહ્યું કે મુખ્યમંત્રી જનતા સાથે વાતચીત કરતા રહે છે. જો તેઓ પોતાના ગઠબંધન સહયોગીઓ સાથે નિયમિત રૂપે સમાન વિચાર-વિમર્શ કરતા, તો તેઓને 60 દિવસોમાં 60 'ફ્લિપ-ફ્લોપ' ન કરવા પડતા.
કોંગ્રેસ નેતા નિરુપમે કહ્યું કે તેઓ રોજ પોતાના નિર્ણય બદલતા રહે છે, આવા નિર્ણયો જે વિલંબથી લેવામાં આવે છે અને મોટાભાગે ખોટા હોય છે. પરિણામે, કોરોના સંકટ વધતુ જઇ રહ્યું છે.
દેશમાં કોરોના વાયરસના સંક્રમણના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 52,667 સુધી પહોંચી ગઇ છે. જ્યારે કુલ 1695 લોકોના આ વાયરસથી મોત થયા છે તથા 15786 લોકો આ બીમારીથી સ્વસ્થ્ય થયા છે.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા 35,186 છે. મુંબઇમાં પણ કોરોના વાયરસે કહેર વરસાવ્યો છે. મુંબઇમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 31 હજારને પાર પહોંચી ગઇ છે.