ચૂંટણી પહેલા જૂના નેતા-સામાજિક આગેવાનને લેવા કોંગ્રેસની કવાયત હાથ ધરી છે. જેની વચ્ચે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ શંકરસિંહ વાઘેલા,નરેશ પટેલ મોટું નિવેદન આપ્યું છે
વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની કવાયત
રાજકીય અને સામાજિક આગેવાનો માટે ઘડાઈ રણનીતિ
નરેશ પટેલ અને શંકરસિંહ માટે રઘુ શર્માએ આપ્યું નિવેદન
વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની કવાયત
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જૂના નેતા-સામાજિક આગેવાનને પોતાના પક્ષમાં લાવવા માટે કોંગ્રેસની કવાયત હાથ ધરવામાં આવી છે. જેની વચ્ચે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ મુદ્દે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, તેઓ ખોડલધામના નરેશ પટેલનું કોંગ્રેસમાં સ્વાગત કરે છે. તેમણે જણાવ્યું હતું કે, નરેશ પટેલ મુદ્દે બન્ને બાજુથી વાતચાલી રહી છે. તેમજ યોગ્ય સમયે આ અંગે નિર્ણય લેવામાં આવશે. આ સાથે તેઓએ પાસના નેતા અલ્પેશ કથીરિયાને કોંગ્રેસમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું છે.
રાજકીય અને સામાજિક આગેવાનો માટે ઘડાઈ રણનીતિ
બીજી તરફ શંકરસિંહ વાઘેલાને પણ કોંગ્રેસમાં પુનઃ જોડાવવા માટે આમંત્રણ આપ્યું હતું જો કે, તેમણે ઉમેર્યું હતું કે, શંકર સિંહવાઘેલાના કોંગ્રેસમાં જોડાવવાના મુદ્દે હાઈકમાન્ડ અંતિમ નિર્ણય લેશે.રાજનેતા અને સામાજિક આગેવાનોને કોંગ્રેસમાં જોડાવવા અંગે કોંગ્રેસ પ્રમુખ જગદ્દીશ ઠાકોરે પણ પ્રતિક્રિયા આપણાતાં જણાવ્યું હતું કે, અમે જૂના નેતાઓ, રાજનેતા અને સામાજિક આગેવાનોના સતત સંપર્કમાં છીએ
કોંગ્રેસમાથી બળવો કરીને શંકરસિંહ વાઘેલા ગયા હતા
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં 16 ધારાસભ્યો સાથે શંકરસિંબહ વાઘેલાએ બળવો પોકાર્યો હતો. ત્યારે હવે તે ફરી એકવાર કોંગ્રેસમાં આવવા માંગે છે. વાઘેલા અવાનવાર કોંગ્રેસના નેતાઓને મળતા રહે છે. આ સાથે તેઓ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને જગદિશ ઠાકોરના સતત સંપર્કમાં છે. તેમજ ક્ષત્રિય -ઠાકોર સમાજના મોટા ભાગાના કાર્યક્રમમાં પણ તેઓ હાજર હોય છે. મહત્વનું છે કે, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ અગાઉ શંકરસિંહ મુદ્દે નિવેદન આપી ચુક્યા છે. જ્યારે કોંગ્રેસના પ્રમુખ જગદિશ ઠાકોર તો શંકરસિહના જાહેરમાં વખાણ કરે છે
તાજેતરમાં નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ અંગે મોટું નિવેદન આપ્યું હતું
ખોડલધામ પાટોત્સવમાં નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ અંગે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે,રાજકારણમાં આવવું કે નહીં તે સમયનો પ્રશ્ન છે. સમાજ ઇચ્છશે તો ચોક્કસપણે રાજકારણમાં આવીશ.