મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ જાહેર કરી દીધું છે કે શિવસેના ગઠબંધન તોડવા માગતી હોય તો કોંગ્રેસને કંઈ વાંધો નથી.
મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલનું નિવેદન
શિવસેના ગઠબંધન તોડી નાખવા માગતી હોય તો કોંગ્રેસને કંઈ વાંધો નથી
જરુર પડશે તો કોંગ્રેસ વિપક્ષમાં બેસવા તૈયાર
શિવસેનાની એક મોટી મુસીબત કોંગ્રેસે દૂર કરી દીધી છે. ગઠબંધનમાંથી છેડો ફાડવો કે નહીં તે અંગે ઉદ્ધવની શિવસેના અવઢવમાં છે ત્યારે તેની સાથીદાર પાર્ટી કોંગ્રેસે સ્પસ્ટ જણાવી દીધું છે જો શિવસેના ગઠબંધનમાંથી બહાર નીકળી જવા માગતી હોય તો તેને કંઈ વાંધો નથી.
ગઠબંધન પર નિર્ણય લેવા કોંગ્રેસની બેઠક
આવતીકાલે થનારા ફ્લોર ટેસ્ટ પહેલા મુંબઈમાં કોંગ્રેસ નેતાઓની એક બેઠક મળી હતી અને તેમા આગળની રણનીતિની ચર્ચા કરવામાં આવી હતી.
Ahead of the floor test tomorrow, a meeting of Congress leaders underway in Mumbai to discuss their strategy.
મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું છે કે જો શિવસેના પોતાના પરિવારને બચાવવા માટે કોંગ્રેસ અને એનસીપીથી અલગ થવા માંગે છે, તો અમને કોઈ સમસ્યા નથી. જરૂર પડશે તો અમે પણ વિપક્ષમાં બેસવા તૈયાર છીએ. તેમણે કહ્યું કે અમે ભાજપની જેમ શિવસેના સાથે મિત્રતા કરી નથી. અમે છેલ્લે સુધી શિવસેના સાથે છીએ.
અમે અમારી લડાઈ કાયદેસર રીતે લડીશું
ભાજપ પર નિશાન સાધતા નાના પટોલેએ આરોપ લગાવ્યો કે, ભાજપ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની ફિરાકમાં છે. તેમનો અર્થ સત્તા છે, લોકો દ્વારા નહીં, પરંતુ સત્તા દ્વારા. "ફ્લોર ટેસ્ટને ધ્યાનમાં રાખીને, અમે અમારા તમામ ધારાસભ્યોને મુંબઈ પહોંચવા જણાવ્યું છે. અમે અમારી લડાઈ કાયદેસર રીતે લડીશું. હું નિષ્ઠાપૂર્વક આશા રાખું છું કે અમને સુપ્રીમ કોર્ટ તરફથી ન્યાય મળશે.