કોંગ્રેસે તવાંગ મામલે પ્રધાનમંત્રી મોદીને 7 સવાલ પૂછીને તેમના જવાબની માગ કરી છે.
રાહુલના બચાવ પર ઉતરી કોંગ્રેસ
તવાંગ મામલે પીએમ મોદીને પૂછ્યા 7 સવાલ
રાહુલે ચીનને લઈને આપ્યું હતું નિવેદન
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ચીન પર નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. નિવેદનોના બહાને ભાજપ સતત રાહુલ ગાંધી પર પ્રહાર કરી રહી છે. હવે કોંગ્રેસ પાર્ટી રાહુલના બચાવમાં ઉતરી છે. ભારત-ચીન અથડામણના મુદ્દે પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાત સવાલ પૂછ્યા છે. એઆઈસીસીના મીડિયા વિભાગના પ્રભારી પવન ખેરાએ કહ્યું કે, "વડાપ્રધાન ચીનથી કેમ ડરે છે, તેની પાછળનું રહસ્ય શું છે? તમે ચીનમાં બ્લેકલિસ્ટેડ કંપનીઓને વારંવાર કરાર કેમ આપો છો? ચીન સાથે તમારો સંબંધ શું છે? કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ જયરામ રમેશે એક નિવેદન જારી કર્યું છે. "આ સાત પ્રશ્નો પર બોલવું એ વડા પ્રધાનની રાજકીય ફરજ અને નૈતિક ફરજ છે. દેશ જાણવા માંગે છે.
PM मोदी के चीन प्रेम पर @Pawankhera जी के कुछ सवाल 👇
• चीन से प्रधानमंत्री घबरा क्यों जाते हैं, आखिर इसके पीछे क्या राज है?
• चीन की ब्लैकलिस्टेड कंपनियों को बार-बार ठेके क्यों दे देते हो?
• आपका चीन के साथ क्या रिश्ता है?#ChinaParModiChupKyonpic.twitter.com/I968clWJyv
1. 20 જૂન, 2020 ના રોજ, તમે કેમ કહ્યું કે પૂર્વી લદ્દાખમાં ભારતીય ક્ષેત્રમાં ચીની બાજુથી કોઈ ઘૂસણખોરી થઈ નથી?
2. તમે શા માટે ચીનીઓને પૂર્વી લદ્દાખમાં હજારો ચોરસ કિલોમીટર સુધી પહોંચવાની મંજૂરી આપી, જ્યાં આપણે મે 2020 પહેલા નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યા હતા?
3. માઉન્ટેન સ્ટ્રાઇક કોર્પ્સ સ્થાપવા માટે 17 મી જુલાઈ, 2013 ના રોજ કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલી યોજનાને તમે શા માટે છોડી દીધી?
4. તમે ચીની કંપનીઓને પીએમ કેર્સ ફંડમાં ફાળો આપવાની મંજૂરી કેમ આપી છે?
5. તમે છેલ્લાં બે વર્ષમાં ચીનથી આયાતને રેકોર્ડ સ્તરે કેમ વધવા દીધી છે?
6. તમે શા માટે આગ્રહ કરી રહ્યા છો કે સરહદની પરિસ્થિતિ અને ચીન તરફથી આપણે જે પડકારોનો સામનો કરી રહ્યા છીએ તેના પર સંસદમાં ચર્ચા ન થવી જોઈએ?
7. તમે ચીનના ટોચના નેતૃત્વને અભૂતપૂર્વ 18 વખત મળ્યા છો અને તાજેતરમાં બાલીમાં શી જિનપિંગ સાથે હાથ મિલાવ્યા છે. તે પછી તરત જ, ચીને તવાંગમાં ઘૂસણખોરી શરૂ કરી અને સરહદની પરિસ્થિતિમાં એકતરફી ફેરફાર કરવાનું ચાલુ રાખ્યું. તમે દેશને વિશ્વાસમાં કેમ નથી લેતા?
શું બોલ્યાં હતા રાહુલ ગાંધી
રાજસ્થાનના દૌસામા ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. જ્યારે ભારત સરકાર ઉંઘી રહી છે અને જોખમને નજરઅંદાજ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે ચીને 2,000 ચોરસ કિલોમીટર ભારતીય ક્ષેત્ર છીનવી લીધું છે. તેઓએ અરુણાચલ પ્રદેશમાં 20 ભારતીય સૈનિકોને મારી નાખ્યા છે અને આપણા સૈનિકોને માર માર્યો છે. રાહુલના આ નિવેદન બાદ કેન્દ્રીય મંત્રીઓ અને નેતાઓએ તેમની તરફ ચારેબાજુથી પ્રહારો કર્યાં હતા જે પછી કોંગ્રેસ પણ સાત સવાલ પૂછીને રાજનીતિને ગરમાવી દીધી છે.