વારાણસી લોકસભા બેઠક માટે ઉમેદવારોએ ખર્ચની વિગત જાહેર કરી છે. 16 મે સુધી કરેલા પ્રચાર ખર્ચની વિગતો ઉમેદવારોએ જાહેર કરી છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર અજય રાયે પ્રધાનમંત્રી મોદી કરતા વધુ ખર્ચ કર્યો છે.
અજય રાયે ચૂંટણી પ્રચાર માટે રૂપિયા 25 લાખનો ખર્ચ કર્યો છે. પ્રધાનમંત્રી મોદીએ ચૂંટણી પ્રચારમાં રૂપિયા 24 લાખનો ખર્ચ દર્શાવ્યો છે. જ્યારે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર શાલિની યાદવે રૂપિયા 9.72 લાખ ખર્ચ દર્શાવ્યો છે. સપા અને કોંગ્રેસે ચોરા બેઠકો માટે સૌથી વધુ નાણા ખર્ચ્યા છે.
આ ઉમેદવારે કર્યો નથી એક પણ ખર્ચ
ચૂંટણીમાં એક ઉમેદવાર એવો પણ છે જેણે અત્યાર સુધી પોતાના પ્રચાર માટે એકપણ રૂપિયાનો ખર્ચ કર્યો નથી. મહારાષ્ટ્રના મનોહર આનંદ રાવ પાટિલ મંદિરમાં રહે છે અને સત્તુ ખાય છે પગપાળા પ્રચા કરે છે.