દિલ્હી ખાતે યોજાયેલ CWC બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મુદ્દે નિર્ણય શનિવારે લેવાયો હતો, સોનિયા ગાંધીને પક્ષના કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ નિર્ણય બેઠકમાં સર્વાનુમતે લેવાયો હતો. નોંધનીય છે કે,શનિવારે ફરી એકવાર રાત્રે 8 કલાકે કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં પક્ષનું મોવડી મંડળ હાજર રહ્યું હતું.
ઘણો લાંબો સમય એટલે કે 17 વર્ષ સુધી પાર્ટીના અધ્યક્ષા પદે રહ્યા હતા. જો કે, તેમની તબિયત નાદુરસ્ત થતાં દિકરા રાહુલને આ જવાબદારી સોંપી હતી.ત્યારે આજ રોજ રાહુલ ગાંધીએ રાજીનામું ધરી દીધા બાદ ફરી એકવાર કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ પદે સોનિયા ગાંધીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
Rahul Gandhi, Congress: I was called by the Working Committee just now because between the work that they were doing, to choose the next Congress president, some reports have come, that things in Jammu & Kashmir are going very wrong. There are reports of violence. (1/2) pic.twitter.com/qYzHzJLIc5
પાર્ટીના પૂર્વ અધ્ય રાહુલ ગાંધીએ બેઠક પૂર્ણ થયાં બાદ કહ્યું કે, કાશ્મીરમાં સ્થિતિ ખરાબ છે. કેટલાક રિપોર્ટ્સમાં જમ્મુ - કાશ્મીરમાં હિંસાની વાત કરવામાં આવી છે. જે ખુબ જ ચિંતાજનક બાબત છે. સરકારે એ બાબત જણાવવી જોઇએ કે શું ખોટું થઇ રહ્યું છે. CWC ની બેઠક અટકાવવામાં આવી છે અને આ રિપોર્ટમાં એવું કહેવામાં આવે છે કે જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ વધુ ખરાબ છે. વડા પ્રધાન મોદી અને સરકારે દેશને પારદર્શિતા સાથે જણાવવું જોઈએ કે શું થઇ રહ્યું છે.
Rahul Gandhi, Congress: Their (Congress Working Committee) discussion is still going on. I was especially called because a discussion was happening on Jammu and Kashmir. pic.twitter.com/yFSynxGrUb
ઉલ્લેખનીય છે કે, નવા અધ્યક્ષની પસંદગી માટે કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠક પાર્ટીના મુખ્યાલયમાં યોજાઇ હતી. કોંગ્રેસની CWCની બેઠકમાં પાર્ટીના સસંદીય દળના નેતા સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપેલ રાહુલ ગાંધી, પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી, વરિષ્ઠ નેતા અહેમદ પટેલ, એકે એન્ટની, ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જૂન ખડગે સહિત કેટલાક પ્રદેશ અધ્યક્ષ અને કેટલાંક નેતાઓ સામેલ છે. નોંધનીય છે કે, રાહુલ ગાંધી બેઠકમાં ખુબ જ મોડેથી પહોચ્યા હતા.
શું કહે છે પાર્ટીનું સંવિધાન
CWCની બેઠકમાં કોણ સામેલ થશે તેના પર ચર્ચા છેડાઇ ગઇ હતી. કેટલાક નેતાઓનું કહેવું છે કે જ્યારે ઉપલા સ્તરે જ પદ ખાલી હોય ત્યારે એવામાં પાર્ટીના સંવિધાન મુજબ 29 સ્થાઇ આમંત્રિત સભ્યો, વિશેષ આમંત્રિત સભ્યો અને કાર્ય સમિતિના જૂના સભ્યો નવા અધ્યક્ષની નિયુક્તિ માટે CWCની બેઠકમાં સામેલ થઇ શકતા નથી.