આજે CWCની વર્ચ્યૂઅલ બેઠક શરુ થઈ છે. ત્યારે કાર્યકારી અધ્યક્ષ તરીકે 1 વર્ષ પૂરું કર્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ પદ સોનિયા ગાંધી છોડવાની રજૂઆત કરી છે. અને નવા અધ્યક્ષ શોધવાની વાત કરી છે. ત્યારે મનમોહન સિંહે તેમને સ્થાન પર બની રહેવા કહ્યું છે. તેની સાથે એન્ટનીએ રાહુલને આ પદ સંભાળવા આગ્રહ કર્યો છે. CWC બેઠકમાં આજે નવા અધ્યક્ષનો મુદ્દો ચર્યાયો હતો.
કોગ્રેસની કાર્યસમિતિ બેઠક શરુ થઈ ગઈ છે
CWC બેઠકમાં આજે નવા અધ્યક્ષનો મુદ્દો ચર્યાયો
નવા પાર્ટી અધ્યક્ષની પ્રક્રિયા શરુ કરો
કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે રાહુલ ગાંધીના ભાજપ સાથે મળેલા આરોપોને લઈને જે ટ્વિટ કરી હતી તે હટાવી દીધી છે. આ મુદ્દે તેમણે એક નવી ટ્વિટ કરી હતી અને કહ્યું હતું કે, તેમણે રાહુલ ગાંધી સાથે વ્યક્તિગત વાતચીત કરી હતી અને તેમણે એવું કશું કહ્યું નથી જે તેમના નામે ફેલાવવામાં આવ્યું હતું એટલે તેઓ તેમના ટ્વિટને પાછું લઈ રહ્યા છે. જો કે આ અગાઉ કોંગી પ્રવક્તા સુરજેવાલાએ પણ રાહુલ પરના આરોપોને નકાર્યા હતા.
Was informed by Rahul Gandhi personally that he never said what was attributed to him .
કપિલ સિબ્બલના ટ્વિટ પર કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાની પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે રાહુલ ગાંધીએ ભાજપ સાથે મિલીભગત હોવાની કોઈ વાત જ કહી નથી. મહેરબાની કરીને કોઈ પણ પ્રકારના ફેક મીડિયા ખબરોથી પ્રભાવિત ન થાઓ, અને આપણે અંદરોઅંદર નહીં પરંતુ નિરંકુશ મોદી શાસન સામે લડવાનું છે.
Sh. Rahul Gandhi hasn’t said a word of this nature nor alluded to it.
Pl don’t be mislead by false media discourse or misinformation being spread.
But yes, we all need to work together in fighting the draconian Modi rule rather then fighting & hurting each other & the Congress. https://t.co/x6FvPpe7I1
બીજી તરફ કોંગ્રેસ નેત્રી અને પૂર્વ સાઉથ અભિનેત્રી દિવ્યા સ્પંદનાએ પત્ર લખનારાઓ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે,'' તેઓ મીડિયાની સામે પત્ર જ લીક નથી કરી રહ્યા, બલકે તેઓ કોંગ્રેસ કરી સમિતિની તમામ માહિતી પણ લીક કરી રહ્યા છે.
Not only did they leak the letter to the media, they continue to feed/leak minute to minute conversations of the CWC meeting that's going on right now to the media. Amazing!
અન્ય એક ટ્વિટમાં તેમણે કપિલ સિબ્બલે કરેલી ટ્વિટને ટેગ કરીને લખ્યું હતું કે મને લાગે છે કે રાહુલજીએ ભૂલ કરી છે, મને લાગે છે કે તેમણે ભાજપ અને મીડિયા સાથે સાંઠગાંઠ હોવાનું કહેવું જોઈએ.
I think Rahul ji made a mistake. He should have said colluding with the BJP & the media. https://t.co/ZmtLe5YzPu
કોંગ્રેસમાં આંતરિક ઘમાસાણ વધી રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે, સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીએ પત્ર લખવાના ટાઈમિંગ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું હતું કે જે સમયે પત્ર મોકલવામાં આવ્યો સોનિયા ગાંધી ત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.
રાહુલ ગાંધી બાદ હવે પ્રિયંકા ગાંધી પણ નારાજ
રાહુલ ગાંધીના કોંગી નેતાઓના ભાજપ સાથે સાંઠગાંઠના આરોપો બાદ કોંગ્રેસમાં આંતરિક ઘર્ષણ વધ્યું હોવાનું જણાઈ રહ્યું છે, જો કે હવે સુત્રો દ્વારા મળતી લેટેસ્ટ અપડેટ દ્વારા પ્રિયંકા ગાંધીનું રિએક્શન સામે આવ્યું છે. સુત્રો જણાવી રહ્યાં છે કે પ્રિયંકા ગાંધી વરિષ્ઠ કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદથી નારાજ થયા હોવાનું બહાર આવ્યું છે.
શું કહ્યું હતું રાહુલે ?
હાલમાં કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક ચાલી રહી છે, જેમાં સૂત્રો દ્વારા મળેલ જાણકારી મુજબ સોનિયા ગાંધીએ કોંગ્રેસના વચગાળાના પ્રમુખ તરીકે રાજીનામું આપવાની તૈયારી દર્શાવી છે. જો કે એક નવી માહિતી મુજબ આ બધુ કોંગ્રેસના કેટલાક નેતાઓએ લખેલા એક પત્રને લીધે શરુ થયું છે, જેને લઈને સૂત્રોએ જણાવ્યું હતું જેમાં રાહુલ ગાંધીએ સહી કરનારા લોકો ભાજપ સાથે મળેલા હોવાનો આરોપ લગાવ્યો હતો. જેને લઈને વરિષ્ઠ કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલ અને ગુલામ નબી આઝાદનું રિએક્શન સામે આવ્યું હતું.
જો કે ત્યાર બાદ કોંગી નેતા સુરજેવાલાએ ટ્વિટ કરી હતી કે રાહુલ ગાંધીએ ભાજપ સાથે મળેલા હોવાનો કોઈ પણ પ્રકારનો આરોપ કોઈ પર લગાવ્યો નથી,અને આ આરોપ જેવો એક શબ્દ પણ તેઓ બોલ્યા નથી. આ બધુ મીડિયા દ્વારા ફેલાયેલી મિસઇન્ફોર્મેશનના લીધે છે આમ તેમણે રાહુલ ગાંધી પરના આક્ષેપો ફગાવ્યા હતા.
આ કોંગી નેતાઓએ ભાજપ સાથે સાંઠગાંઠના આરોપોને ફગાવી દીધા હતા, અને કપિલ સિબ્બલે તો એવું પણ કહ્યું હતું કે 30 વર્ષથી હું ક્યારેય ભાજપની સાથે નથી થયો. જયારે ગુલામ નબીએ આરોપો સાબિત થાય તો રાજીનામું આપવાની તૈયારી દર્શાવી હતી.
Rahul Gandhi says “ we are colluding with BJP “
Succeeded in Rajasthan High Court defending the Congress Party
Defending party in Manipur to bring down BJP Govt.
Last 30 years have never made a statement in favour of BJP on any issue
Sonia Gandhi asks CWC members "to begin deliberations towards the process of transition to relieve her from the duty of party president": Sources https://t.co/Xb3AEpmDTy
કોગ્રેસની કાર્યસમિતિ બેઠક શરુ થઈ ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ સોનિયા ગાંધી છોડવાની રજૂઆત કરી છે. તેમજ તેમણે કહ્યું છે કે હું અધ્યક્ષ બની રહેવા નથી માંગતી. નવા પાર્ટી અધ્યક્ષની પ્રક્રિયા શરુ કરો.
એ કે એન્ટનીએ રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ સંભાળવા કહ્યું તો રાહુલે નારાજગી વ્યક્ત કરી. કોંગ્રેસમાં નેતૃત્વના મુદ્દા પર પાર્ટીના 2 ગ્રુપની વચ્ચે નજરે પડી રહેલી સ્થિતિની વચ્ચે સીડબ્લ્યૂસીની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં રાહુલ ગાંધીએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યુ કે જે સમયે પત્ર મોકલવામાં આવ્યો તે સમયે સોનિયા ગાંધી બિમાર હતા. તેમણે પત્રના સમય પર સવાલ પુછતા કહ્યુ કે કોંગ્રેસ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના રાજકિય સંકટનો સામનો કરી રહી હતી, જ્યારે અધ્યક્ષ બિમાર હતા ત્યારે આ ચિઠ્ઠી કેમ મોકલવામાં આવી.
તેમજ રાહુલ ગાંધીએ પત્ર મોકલનારાઓ પર ભાજપ સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો. તો તેમની આ વાત પર ગુલામ નબી આઝાદે કહ્યું કે રાહુલનો આરોપ સાચો સાબિત થયો તો રાજીનામુ આપીશ.
ઉલ્લેખનીય છે કે બેઠક પહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓ કોંગ્રેસના મુખ્યકાર્યાલય બહાર પાર્ટીના ગાંધી પરિવારના સમર્થનમાં બેનર લઈને પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે 5 પૂર્વ સીએમ સહિત 23 નેતાઓએ કોંગ્રેસ પાર્ટીને પત્ર લખ્યો હતો અને સાથે જ નવા અધ્યક્ષ પસંદ કરવા અંગેનો મુદ્દો ઉઠ્યો હતો. સોનિયા ગાંધીને પાર્ટીમાં બદલાવ માટે પત્ર લખાયો હતો. કોંગ્રેસ નેતાઓ ઈચ્છે છે કે ગાંધી પરિવારના હાથમાં જ પાર્ટીની કમાન રહે. પંજાબના CM અમરિંદર, રાજસ્થાનના CM ગેહલોતે ગાંધી પરિવાર પર વિશ્વાસ મૂક્યો હતો અને છત્તીસગઢના CM ભૂપેશ બઘેલ અને અન્ય નેતાઓનો પણ ગાંધી પરિવાર પર વિશ્વાસ મુક્યો હતો.
Congress leaders including Manmohan Singh, Priyanka Gandhi Vadra, Capt. Amarinder Singh begin joining the Congress Working Committee's virtual meeting pic.twitter.com/Ql6joIWTnT
પાર્ટીના સૂત્રો દ્વારા સોમવારે સવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી CWCની બેઠકમાં વરિષ્ઠ નેતાઓના પત્ર અને તેમાં આપવામાં આવેલા સૂચનોનો મુદ્દો હાવી થવાની સંભાવ વ્યક્ત કરાઈ હતી. બેઠક નેતૃત્વ અને સંગઠન પર કેન્દ્રિત રહેશે.
આજે મળનારી બેઠકને લઈને સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધીના રાજીનામાની સ્થિતિમાં મનમોહન સિંહ અથવા એ કે એન્ટનીને પાર્ટીના વચગાળાનું પ્રમુખ પદ આપવામાં આવી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે.
આ નેતાઓએ કરી છે પત્ર પર સહી
ઉલ્લેખનીય છે કે આ નેતાઓએ પત્ર પર સહી કરી છે તે નેતાઓમાં રાજ્યસભાના વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ, કોંગ્રેસના ઉપ-નેતા આનંદ શર્મા, પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હૂડા, પૃથ્વીરાજ ચવ્હાણ, રાજીન્દર કૌર ભટ્ટલ, પૂર્વ મંત્રી મુકુલ વાસનિક, કપિલ સિબ્બલ, એમ વીરપ્પા મોઇલી, શશી થરૂર, સાંસદ મનીષ તિવારી, પૂર્વ સાંસદ મિલિંદ દેવડા, જિતિન પ્રસાદ અને સંદીપ દિક્ષિત પણ શામેલ છે. પત્રમાં પાર્ટી એકમોના પૂર્વ વડા રાજ બબ્બર, અરવિંદર સિંહ લવલી, કૌલસિંહ ઠાકુર, અખિલેશ પ્રસાદ સિંહ અને કુલદીપ શર્માની પણ સહી હતી. સોનિયાને પત્ર લખનારા કેટલાય નેતાઓએ સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓએ આ મુદ્દે બોલવાની ના પાડી હતી. એક નેતાએ ચોક્કસપણે કહ્યું, "સોમવારે મળેલી બેઠકમાં કેટલાક નિર્ણયોની અપેક્ષા છે."