મહુવા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો
કોંગ્રેસના 400 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા
કોંગ્રેસની સ્થિતિ એક સાંધતા તેર તૂટે તેવી છે, આજે ભાવનગપર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી પહેલા રાજકારણમાં ઉથલ પાથલ સર્જાઈ હતી. જેમાં કોંગ્રેસના 400 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાઈ જતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાજ્યમાં સહકારી ક્ષેત્રના 400 જેટલા આગેવાનો ભાજપમાં જોડાયા હતા, ઉલ્લેખનિય છે કે આગામી દિવસોમાં માર્કિંગ યાર્ડની ચૂંટણી યોજાનાર છે તે પહેલા જ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા
રાજ્યમાં જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓ ઉભી રાખવા પર પ્રતિબંધ મૂકાયો છે. જેને લઈ રાજ્યમાં કોંગ્રેસ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, કોંગ્રેસ દ્વારા આજે ભાજપની સરકાર પર પ્રહાર કરવામાં આવ્યો હતા. રાજકોટ, વડોદરા, ભાવનગર, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ પરની લારીઓને કાર્યવાહી કરવામાં આવી રહી છે જે મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે , ગુજરાતમાં 25 વર્ષથી ભાજપનું સાશન છે અને મહાનગરોમાં ભાજપની સત્તા છે. સરકાર પાસે રોજગાર માટે યુવાનો આંદોલન કરે છે. યુવાનોને રોજગાર આપવાના બદલે મોટી મોટી જાહેરાત આપે છે. રોજગારી ના મળવાના કારણે યુવાન સ્વબળે લારી-ગલ્લા ચલાવે છે. મહત્વનું છે કે સમગ્ર મામલે કોંગ્રેસ 14 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી મંદી-મોંઘવારી સામે જનજાગૃતિ અભિયાન કરશે. જેમાં ઘરે ઘરે જઈને પત્રિકાનું વિતરણ કરાશે તથા સ્થાનિક લોકો પાસે જઈને પરિવારને શું તકલીફ છે તે જાણવામાં આવશે. આ માટે 52 હજાર જેટલા બુથ પર કોંગ્રેસના કાર્યકર્તા જશે. તમામ ધારાસભ્યો-સાંસદ સભ્યો અને મંત્રીઓના ઘરે જઈને કોંગ્રેસ આવેદન પત્ર આપશે.
કોંગ્રેસ હવે આક્રમક મૂળમાં દેખાઈ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સારુ પ્રદર્શન ન કરી શકતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પદ પરથી રાજીનામું આપી દીધું છે જેને કારણે ગુજરાત કોંગ્રેસમાં વિપક્ષ નેતા અને પ્રદેશ પ્રમુખનું પદ ખાલી છે, છતા હજુ પણ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાને લઈને અસમંજસતા જોવા મળી રહી છે, હવે આગામી સમયમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે એવામાં કોંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેને લઈ કોંગ્રેસ હવે આક્રમક મૂળમાં દેખાઈ રહી છે.
ગુજરાત કોંગ્રેસનું રવિવારથી જનજાગૃતિ અભિયાન
ગુજરાતની જનતા પર અકારણ પડી રહેલા બોજ અને મોંઘવારીના અસહ્ય મારથી કોંગ્રેસ વ્યથિત છે.આવતીકાલે ચાચા નહેરુના જન્મદિવસ 'બાળ દિન'થી કોંગ્રેસનું જન જાગૃતિ અભિયાન રાજ્ય વ્યાપી શરુ થશે. મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોના મુદ્દે જન જાગૃતિ અભિયાન રહેશે. તદુપરાંત સરકારની નિષ્ફળતાઓ ઉજાગર કરવા કોંગ્રેસ વિવિધ કાર્યક્રમો આપશે. જેમાં ધરણા, વિરોધ પ્રદર્શન, પદયાત્રાના જેવા કાર્યક્રમોથી ગુજરાતના નાગરિકોની સંવેદનાને ટટોળવા પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે, વિધાન સભા 2022 પહેલા આગામી મહિનાના બીજા સપ્તાહમાં 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી રહી છે.ત્યારે ગ્રામીણ મતદારને સ્પર્શતા મુદ્દાઓ ઉજાગર કરવા કોંગ્રેસ મેદાને પડ્યો છે. જન જાગૃતિ અભિયાન વેળા ગુજરાત કોન્ગ્રેસના પ્રભારી ડો રઘુ શર્મા એક સપ્તાહ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.