બિહારમાં કોંગ્રેસ માટે મુશ્કેલીઓ વધી રહી છે. જ્યાં હાલ રૂપિયા લઈ ટિકિટ વહેંચાઈ હોવાના આક્ષેપ સાથે ધમાસાણ મચ્યું છે. એટલું જ નહીં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને બિહારના પ્રભારી શક્તિસિંહ પર પણ આક્ષેપ લાગ્યા છે.
બિહારમાં કોંગ્રેસ માટે મુશ્કેલીઓ વધી રહી છે. જ્યાં હાલ રૂપિયા લઈ ટિકિટ વહેંચાઈ હોવાના આક્ષેપ સાથે ધમાસાણ મચ્યું છે. એટલું જ નહીં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને બિહારના પ્રભારી શક્તિસિંહ પર પણ આક્ષેપ લાગ્યા છે.
શું છે સમગ્ર મામલો?
બિહારમાં કોંગ્રેસ માટે મુશ્કેલી સતત વધતી જ જઈ રહી છે. એક તરફ લાલૂ પૂત્ર બળવાના મુળમાં છે. તો હવે બીજી તરફ પૈસા પર લોકસભાની ટિકિટ વહેંચાઈ હોવાના આક્ષેપ લાગી રહ્યા છે. આ ધમાસાણ આ છે પટનાના સદાકત આશ્રમ ખાતે આવેલ કોંગ્રેસની ઓફિસ અને ત્યાં ઔરંગાબાદથી સાંસદ રહી ચૂકેલ નિખિલ કુમારના સમર્થકો હંગામો કરી રહ્યા છે. સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.
જોકે કોંગ્રેસ પ્રભારી શક્તિસિંહ ગોહીલે મામલાને શાંત પાડવાની કોશિશ કરી તો તેને ધક્કે ચઢાવી દેવાયા. એટલું જ નહીં પરંતુ માનવ સાંકળ બનાવી શક્તિસિંહને ઘેરામાંથી બહાર કાઢવા પડ્યા. વિરોધ કરી રહેલા લોકોનો આક્ષેપ છે કે, કોંગ્રેસના નેતાઓએ નિખિલ બાબૂની ટિકિટ વેંચી દીધી છે. શક્તિસિંહ ગોહિલ, મદન મોહન ઝા, અખિલેશ સિંહ સહિતના નેતાઓએ ટિકિટ પૈસાથી વેંચવાનુ કામ કર્યું છે.
જોકે શક્તિસિંહે કાર્યકર્તાઓના વિરોધ વિશે વધુ તો ન જણાવ્યું પરંતુ તેણે એટલું ચોક્કસથી સ્વિકાર્યું કે, ક્યાંકને ક્યાંક કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓ નારાજ છે. જેની નારાજગી દૂર કરાશે. ત્યારે જોવાનું તો એ રહેશે કે, બિહારના રાજકારણમાં જે રીતે માહોલ ગરમાયો છે તેને શાંત પાડવામાં કોંગ્રેસ કેટલી સફળ રહે છે. લોકસભામાં કેટલો દબદબો જોવા મળે છે.