2014 બાદ સતત 2019ની લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસને વિરોધ પક્ષમાં બેસે તેટલી બેઠકો મળી નથી. અત્યાર સુધી એવી અટકળ હતી કે એનસીપીના સાંસદોનો કોંગ્રેસમાં વિલય કરીને વિરોધપક્ષના નેતાનું પદ કોંગ્રેસ મેળવશે. પરંતુ હવે કોંગ્રેસે આ મામલે સ્પષ્ટ મનાઈ ફરમાવી દીધી છે.
સતત 50 વર્ષ દેશમાં શાસન કરનારી કોંગ્રેસ પાર્ટીનો કપરો સમય ચાલી રહ્યો છે. 2014માં પણ વિરોધ પક્ષના નેતાનું પદ કોંગ્રેસને મળ્યું ન હતું અને આ વખતે પણ કોંગ્રેસને આ પદ માટેની બેઠકો મળી નથી. જેના કારણે એવી અટકળો હતી કે, એનસીપી અને કોંગ્રેસ ભેગા થશે.
પરંતુ આ મામલે કોંગ્રેસે પોતાની સ્પષ્ટતા આપી હતી. કોંગ્રેસે કહ્યું કે, તેમના સાંસદોની સંખ્યા વિપક્ષના પદ માટે જરૂરી સંખ્યાબળ કરતા ઓછી છે માટે તે દાવો નહીં કરે.
Randeep Singh Surjewala on Leader of Opposition: We will not stake a claim to the Leader of Opposition till we have the strength of 54 & since we don't have we're not going to stake a claim. https://t.co/Yjthql3coc
સુરજેવાલાએ કહ્યું કે, જરૂરી સંખ્યા ન હોવાના કારણે સરકાર સામે અમે આવી કોઈ જ માગણી કરી નથી. એક સામાન્ય વ્યવસ્થા છે કે કુલ સાંસદોની સંખ્યા કરતા 10 ટકા બેઠકો કોઈ પાર્ટી લાવે તો જ તેને વિરોધ પક્ષનો દરજ્જો મળી શકે છે. સંખ્યાબળની દ્રષ્ટીએ અમારી પાસે 2 બેઠકો ઓછી છે. માટે અમે વિપક્ષ તરીકેનો દાવો નહીં કરીયે.
હવે એ સરકાર પર નિર્ભર છે કે, તે કોઈ એક પાર્ટીને વિરોધ પક્ષનો દરજ્જો આપવા માંગે છે કે કેમ?
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસની સંસદીય દળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં 6 સંસદીય દળના નેતા તરીકે સોનિયા ગાંધીની ફરી એકવાર પસંદગી કરવામાં આવી છે.આ બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો.