મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે દાવો કર્યો છે કે કોંગ્રેસ મધ્ય પ્રદેશમાં 132 બેઠક જીતીને સરકાર બનાવશે. રાજ્યમાં 230 વિધાનસભા બેઠક છે.
બુધવારે યોજાયેલા વિધાનસભા ચૂંટણીમાં 75 ટકા મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતની ગણતરી 11 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે.
રાજ્યમાં 1993થી 2003 સુધી 10 વર્ષ મુખ્યમંત્રી તરીકે રહેલા દિગ્વિજય સિંહને જ્યારે કહેવામાં આવ્યું કે કોંગ્રેસ 132 બેઠક પર જીત મેળવી રહ્યું છે ત્યારે દિગ્વિજય સિંહે જણાવ્યું કે રાજ્યમાં 132 બેઠક પર વિજય મેળવી સરકાર બનાવશે.
ઉલ્લેખનીય છે કે ગત છેલ્લા 15 વર્ષથી રાજ્યમાં ભાજપનું શાસન છે. દિગ્વિજય સિંહે જણાવ્યું કે વર્ષ 2013માં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં પ્રદેશમાં અંદાજે ત્રણ ટકા ખોટા મતદાતાઓ હતા.
જો કે આ વખતે અમે વિધાનસભા ચૂંટણી પહેલા અમે મતદાતા યાદીમાંથી આ નામ કમી કરાવી દીધા. દિગ્વિજય સિંહે જણાવ્યું કે આ ચૂંટણીમાં જીત માટે કોંગ્રેસ કાર્યકર્તાઓએ પોતાનું દિલ મગજ અને શરીર અને આત્મા બધુ લગાવી દીધુ હતું.