લોકસભાના પરિણામ અને રાજ્યસભાની ચુંટણીના ભણકારા વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યોમાં સળવળાટ શરૂ થયો છે. રાજ્યભરમાં કોંગ્રેસના ધારાસભ્યો સાથે ભાજપા તોડજોડની નીતિ અપનાવી રહ્યું છે. અમુક નેતાઓ કોંગ્રેસ તોડી રહ્યા છે તો અમુક જોડી રહ્યા છે. જ્યારે આવું જ કંઇક નિવેદન દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલિયાના ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વિક્રમ માડમે આપ્યું છે.
કોંગ્રેસના અમુક ધારાસભ્યો કોંગ્રેસ છોડી રહ્યા છે. એવી અટકળો તેજ બની છે ત્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલિયાના ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વિક્રમ માડમે ફરી વખત અટકળોનો અંત આવ્યો છે. પોતે ક્યારેય વેચાશે નહીં અને આજીવન કોંગ્રેસી જ રહેશે એમ જણાવી માડમે ફરી વખત કહ્યું કે, પોતાના 36 ટુકડા થાય તો ય એક ટુકડો કમળમાં નહી પડે. પોતે ક્યારેય ભાજપમાં જોડાશે નહીં એમ સ્પષ્ટ કરી માડમે જણાવ્યું કે, ભાજપા તરફથી કોઈ સંપર્ક પણ કરાયો નથી. વહેતી થયેલી વાતો માત્ર આફવા જ છે.