બિહાર વિધાનસભામાં કોંગ્રેસના બહું જ ખરાબ પ્રદર્શન બાદથી પાર્ટીઓની અંદર એકવાર ફરી ઘમાસાણ શરુ થઈ ગયું છે. પાર્ટીઓના અસંતુષ્ટ નેતાઓએ બિહારમાં મળેલી હારનો સામનો કરવા પાર્ટી નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા છે. પાર્ટીમાં પડેલી તિરાડને જોતા હવે હાઈ કમાન એક્શનના મૂડમાં જોવા મળી રહી છે. પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવવા વાળા પૂર્વ સાંસદ ફુરકાન અંસારીને કારણ દર્શક નોટિસ જારી કરી જવાબ માંગ્યો છે.
પૂર્વ સાંસદ ફુરકાન અંસારીને કારણ દર્શક નોટિસ જારી કરી જવાબ માંગ્યો
...કેમ કે નવા અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે
જલ્દી ચૂંટણી કાર્યક્રમનું એલાન કરવામાં આવશે.
હકિકતમાં પાર્ટી હાઈ કમાન ફુરકાન અંસારીને નોટિસ મોકલી બીજા નેતાઓને એ સમજાવવાનો પ્રયાસ કરવા ઈચ્છે છે કે કોંગ્રેસના કેટલાક કંઈ પણ બોલતા પહેલા વિચારે. ફુરકાન અંસારીએ નોટિસ આપવાની સાથે જે નેતાઓ પાર્ટી સામે વિદ્રોહનું વલણ બતાવી રહ્યા છે અથવા મુખ્ય નેતૃત્વ પર ઘણા સમયથી સવાલ ઉઠાવી રહ્યા છે તેમને નોટિસ આપવાનો રસ્તો સ્પષ્ટ કરી દીધો છે.
પાર્ટી સાથે જોડાયેલા વરિષ્ઠ નેતાઓએ કહ્યું કે અનુશાસન પાર્ટીના તમામ સભ્યો માટે એક સરખુ છે. ફુરકાન અંસારીને કારણદર્શક નોટિસ આપ્યા બાદ અન્ય અસંતુષ્ટ નેતાઓની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની માંગ ઝડપી બની છે. પાર્ટીએ અત્યાર સુધી કોઈ પણ નેતા વિરુદ્ધ કાર્યવાહી કરી નથી. પરંતુ હવે લાગે છે કે કેટલાક નેતાઓ પર તવાઈ આવી શકે છે. તેમણે કહ્યું કે એવું કરવું જરુરી થઈ ગયું છે. કેમ કે નવા અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. જલ્દી ચૂંટણી કાર્યક્રમનું એલાન કરવામાં આવશે.