પશ્ચિમ યુપીમાં ગુમાવેલો જનાધાર પાછો મેળવવા કોંગ્રેસે એક વિશેષ અભિયાન આદર્યું છે.
ખેડૂત આંદોલનનો ગઢ ગણાતા જિલ્લામાં કોંગ્રેસનું ખાસ ધ્યાન
કૃષિ કાયદા વિરુદ્ધનું ખેડૂત આંદોલનનો લાભ લેવા કોંગ્રેસની ખાસ તૈયારી
કોંગ્રેસે જય જવાન, જય કિશાન અભિયાનની રુપરેખા તૈયાર કરી છે.
કોંગ્રેસના જય જવાન, જય કિશાન અભિયાનમાં મુખ્યત્વે એવા જિલ્લા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે કે જ્યાં ખેડૂત રાજકારણનો આધાર રહ્યાં છે. આ જિલ્લામાં ખેડૂત આંદોલનનો ઘણો પ્રભાવ રહ્યો છે. સહારનપુર, શામલી, મુઝફ્ફરનગર, બાગપત, મેરઠ, બિજનોર, હાપુડ, બુલંદશહેર, અલીગઢ, હાથરસ, મથુરા, આગરા, ફિરોઝાબાદ, બદાયુ, બરેલી, રામપુર, પીલીભીત, લખીમપુર ખીરી, સીતાપુર, હરદોઈ સહિત 27 જિલ્લામાં કોંગ્રેસના આ અભિયાનનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રિયંકા ગાંધી સહિત તમામ વરિષ્ઠ નેતાઓ અભિયાનમાં ભાગ લેશે.