રાજનીતિ / Rajya sabha election માટે Congressની ડેમેજ કંટ્રોલની કવાયત, અન્ય કેટલાક MLAને શિફ્ટ કરાશે

રાજ્યસભાની ચૂંટણીમાં તોડજોડની રાજનીતિને લઈને કોંગ્રેસ એલર્ટ થઈ છે. કોંગ્રેસ દ્વારા 14 ધારાસભ્યોને જયપુર લઈ જવામાં આવ્યા છે ત્યારે હવે ગુજરાતના અન્ય કોંગી ધારાસભ્યોને શિફ્ટ થવા માટે તૈયાર રહેવાની સૂચના અપાઈ છે.. ધારાસભ્ય મહેશ પટેલ, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, દિયોદરના ધારાસભ્ય શિવા ભુરિયા, વાસંદાના ધારાસભ્ય અનંત પટેલને તૈયાર રહેવા સૂચના અપાઈ છે. કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી, તળાજાના ધારાસભ્ય અજીત ચૌધરી, ઉમરાળાના ધારાસભ્ય પ્રવિણ મારુ, ધારાસભ્ય સુખરામ જેઠવા અને મોહનસિંહ રાઠવાને તૈયાર રહેવા સૂચના સૂચના અપાઈ છે.ગત મોડી રાત્રે બે કોંગી ધારાસભ્યોએ રાજીનામાની ખબર આવતા હાઈકમાન્ડ દ્વારા કવાયત શરૂ કરાઈ છે. આજે કોંગ્રેસ દ્વારા કોઈ પણ સમયે ધારાસભ્યોને અમદાવાદ એરપોર્ટથી અન્ય સ્થળે શિફ્ટ કરાશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ