મતગણતરી પહેલા જ કોંગ્રેસે કેન્દ્ર માં સરકાર બનાવવાની રણનીતિ પર કાર્ય શરૂ કરી દીધું છે. આ રણનીતિ હેઠળ જો એનડીએ બહુમત હાંસલ કરવામાં નિષ્ફળ રહે છે તો તત્કાલ સરકાર બનાવવા દાવો રજૂ કરી શકે છે. જેથી રાષ્ટ્રપતિને સૌથી મોટી પાર્ટી અને ગઠબંધનને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવાની તક ન મળે.
સૂત્રો મુજબ, કોંગ્રેસના રણનીતિકાર અહમદ પટેલ અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીની પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીના ઘર પર આ રણનીતિને અંતિમ રૂપ આપવામાં આવ્યું. એક નેતાએ જણાવ્યું કે ત્રિશંકુ લોકસભાની સ્થિતિમાં અમે સૌથી પહેલા રાષ્ટ્રપતિ પાસે પહોંચીશું.
અમે કર્ણાટક મોડલને કેન્દ્રમાં અપનાવી શકીએ છીએ. આ દરમિયાન વિપક્ષી પાર્ટીઓએ ત્રિશકું જનાદેશની સ્થિતિમાં ગુરુવારે રાષ્ટ્રપતિને પત્ર આપવાનો નિર્ણય કર્યો છે. પત્ર પર આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂ, બસપા નેતા સતીશ ચંદ્ર મિશ્રા, પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી, અખિલેશ યાદવ, એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલ અને ડીએમકે પ્રમુખ એમ. સ્ટાલિનના હસ્તાક્ષર છે. આ પહેલમાં કોંગ્રેસને સામેલ કરવામાં આવી નથી.
વિપક્ષી પાર્ટીઓએ પોતાના પત્રમાં લખ્યું છે કે, પરીણામના એલાન બાદ જ્યારે 17મી લોકસભાના ગઠનની અધિસૂચના જાહેર કરવામાં આવે તો અમને પણ સરકાર બનાવવા માટે 272 સભ્યોની સૂચી રજૂ કરવાની તક આપવામાં આવે. અમારા અનુરોધ પર વિચાર કરવામાં આવે.
આ પત્રની સાથે કાનૂની વિશેષજ્ઞોનો પણ મત રજૂ કરાયો છે જેમાં બતાવાયું છે કે ખંડિત જનાદેશની સ્થિતિમાં કોને સરકાર બનાવવા માટે આમંત્રણ મળવું જોઇએ. લોકસભા ચૂંટણીના પરીણામ આવ્યા બાદ રાષ્ટ્રપતિના વિવેક પર નિર્ભર કરે છે કે તે સૌથી મોટી પાર્ટીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપે છે અથવા સાથે મળીને ચૂંટણી લડી રહેલી પાર્ટીઓના ગઠબંધનને.