બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત ખેડૂત આંદોલન વિરુદ્ધ ખુલીને બોલી રહી છે. ત્યારે હાલમાં જ તેણે એક ચોંકાવનારુ નિવેદન આપ્યું છે.
કંગના રનૌત કોંગ્રેસ પર ભડકી
ખેડૂત બિલના વિરોધ પર બોલી કંગના
કોંગ્રેસ તરફથી મળી કંગનાને ધમકી
કંગનાએ પોતાના ટ્વિટ્સ અને વીડિયોઝમાં આ આંદોલનને ખાલીસ્તાન અને બિલનો વિરોધ કરી રહેલા ખેડીતોને આતંકવાદી કહ્યું છે. કંગનાએ પોતાના વિરોધ દ્વારા ખુબ અટેન્શન મેળવ્યું હતું. ત્યારે હાલમાં જ કંગનાને કોંગ્રેસ નેતાએ ખેડૂતોની માફી માંગવા કહ્યું છે.
સમાચાર એજન્સીની એક રિપોર્ટ અનુસાર મધ્ય પ્રદેશના બેતુલ જિલ્લાના કોંગ્રેસ નેતાએ ધમકી આપી છે કે કંગના કેટલીક બાબતો પર માફી નહી માંગે તો મધ્યપ્રદેશમાં તેની ફિલ્મ ધાકડની શૂટિંગ રોકી દેવામાં આવશે. સુત્રો દ્વારા મળી જાણકારી અનુસાર ભારતીય જનતા પાર્ટીના ગૃહ રાજ્ય મંત્રી નરોત્તમ મિશ્રાએ કંગનાને આશ્વાસન આપ્યું કે તેને શૂટિંગમાં કોઇ તકલીફ નહી થાય.
मुझे नेतागीरी में कोई इंटरेस्ट नहीं .... मगर लगता है कांग्रिस मुझे नेता बनाकर ही छोड़ेगी... 🙂 https://t.co/O6ux4r7Tm6
કોંગ્રેસ દ્વારા તેને ફિલ્મની શૂટિંગ કરવાથી રોકવાની ખબર સામે આવ્યા બાદ કંગનાએ ટ્વિટ કરીને જવાબ આપ્યો હતો. કંગનાએ રિટ્વિટ કહ્યું કે, મને નેતાગીરીમાં કોઇ રસ નથી પરંતુ મને કોંગ્રેસ નેતા બનાવીને જ છોડશે. કોંગ્રેસ નેતાઓએ કંગના પર આરોપ લગાવ્યો છે કે તે દેશના ખેડૂતોની ખોટી છબિ બતાવવાનો પ્રયત્ન કરી રહી છે.
કંગના અને દિલજીતની તૂતૂ-મેમે
મહત્વનું છે કે કંગના અને દિલજીત દોસાંજ એકબીજાને સોશ્યલ મિડીયા પર એક બીજા પર ભીડી ગયા હતા. પંજાબી એક્ટર અને સિંગર દિલજીત જ્યાં સતત ખેડૂતોનો સપોર્ટ કરી રહ્યો હતો જ્યારે કંગના ખેડૂતોનો વિરોધ કરી રહી છે. ઇન્ટરનેશનલ પોનસ્ટાર મિયા ખલીફા અને એન્વાયર્મેન્ટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગને પણ ખેડૂતોના સપોર્ટ કરવા પર નિશાને લઇ ચૂકી છે.