કોંગ્રેસ નવા મોટર વ્હીકલ એક્ટનો વિરોધ કરશે નહીં. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ શુક્રવારના રોજ નેતાઓ સાથેની બેઠકમાં કહ્યું કે, પાર્ટી સૈદ્ધાંતિક રીતે આ એક્ટનો વિરોધ કરશે નહીં.
મોટર વ્હીકલ એક્ટ વિરોધ નહીં કરે કોંગ્રેસ
સોનિયા ગાંધીએ કર્યો ખુલાસો
આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, કાયદો લાગુ કરવા દરમિયાન ખોટી કાર્યવાહી કરવામાં આવે તેનો વિરોધ કરવો જોઇએ. સોનિયા ગાંધીએ આ નિવેદન એવા સમયે કર્યું જ્યારે નવા મોટર વ્હીકલ એક્ટને લાગુ કરવા માટે કોંગ્રેસ શાસિત રાજ્ય અસમંજસની સ્થિતિ દેખાઇ રહી છે અને કાયદામાં ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યા હતા.
નોંધનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ પદ ફરીવાર સંભાળ્યા બાદ પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીની સાથે સોનિયા ગાંધીની પ્રથમ બેઠકમાં વર્તમાન રાજકીય સ્થિતિને જોતા આ પગલાને જરૂરી માનવામાં આવેલ છે.
પાર્ટીનું માનવું છે કે, ભાજપ અને વિશેષરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે રીતે સરકારના નાના-નાના કામને મોટી ઇવેન્ટની રીતે પ્રચાર કરવાનો ટ્રેન્ડ શરૂ કર્યો છે. જેમાં વિપક્ષી પાર્ટીઓ રાજ્ય સરકારો માટે પણ પોતાના કામને જનતાના દિલો-દિમાગમાં બેસડવાનું જરૂરી સમજી રહ્યા છે.
નવેમ્બરમાં પોતાના એક કાર્યકાળ પૂર્ણ કરી રહેલ છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાનના મુખ્યમંત્રી તેમના કામકાજ પર સમીક્ષા કરશે. આ સરકારની પ્રથમ વર્ષગાંઠને શો-કેસ કરવાની રૂપરેખા પણ ચર્ચા કરવામાં આવી છે. નેતૃત્વનું વર્તન સ્પષ્ટ છે કે રાજકીય સ્પર્ધા દરમિયાન હવે સરકારના કામકાજની માર્કેટિંગની જરૂરિયાતનો અહેસાસ થવા લાગ્યો છે.