સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધન પછી ખાલી પડેલી બે બેઠકો પર કોંગ્રેસ ઉમેદવાર ઉભા રાખશે નહીં.
હાલમાં રાજ્યસભાની 233 બેઠકમાંથી 10 બેઠકો ખાલી છે
ગુજરાતની 2 સહિત દેશમાં 10 બેઠકો રાજ્યસભાની ખાલી છે
હાલમાં રાજ્યસભામાં સૌથી વધુ સાંસદો ભાજપ પાસે છે
રાજ્યસભાની પેટાચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે. રાજ્યસભાની પેટાચૂંટણીને લઈને બે બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર જ ઉભા રાખશે નહીં. સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધન પછી ખાલી પડેલી બે બેઠકો પર કોંગ્રેસ ઉમેદવાર ઉભા રાખશે નહીં. બન્ને બેઠકોની ચૂંટણીનું મતદાન અલગ-અલગ હોવાથી કોંગ્રેસે નિર્ણય કર્યો છે. જે પ્રમાણે વિધાનસભામાં ભાજપ કુલ ધારાસભ્યોની ગણતરીએ કોંગ્રેસ ઉમેદવાર ઉતારે તો હાર થાય તે નિશ્ચિત છે. ભાજપ જે ઉમેદવારોના નામ નક્કી કરે તેની જીત પાક્કી છે.
ક્યારે છે રાજ્યસભાની ચૂંટણી?
રાજકોટના અભય ભારદ્વાજ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના નિધન બાદ ગુજરાતમાંથી રાજ્યસભાની 2 બેઠક ખાલી પડી છે. ગુજરાતમાંથી રાજ્યસભાની કુલ 11 બેઠક છે. જે 2 બેઠક ખાલી પડી છે. તેના માટે 18મી ફેબ્રુઆરી ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. જો કોંગ્રેસ ઉમેદવાર ઉભા નહીં રાખે તો 18મી તારીખે બન્ને ઉમેદવારો બિનહરીફ થશે. પહેલી માર્ચે રાજ્યસભાની બે બેઠકોની પેટાચૂંટણીનું મતદાન છે. એક બેઠકની ટર્મ 2023માં જ્યારે બીજી બેઠકની ટર્મ 2026માં પૂર્ણ થાય છે.
રાજ્યસભામાં કોની પાસે કેટલા સાંસદો?
હાલમાં રાજ્યસભાની 233 બેઠકમાંથી 10 બેઠકો ખાલી છે. જેમાં ગુજરાતની 2 સહિત દેશમાં 10 બેઠકો રાજ્યસભાની ખાલી છે. હાલમાં રાજ્યસભામાં સૌથી વધુ સાંસદો ભાજપ પાસે છે. ભાજપ પાસે 92 જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 37 સાંસદો છે. દિનેશ ત્રિવેદીના રાજીનામા પછી પણ TMC પાસે 12 સાંસદ છે. મત અને વિચારથી વહેંચાયેલા વિપક્ષની સામે રાજ્યસભામાં ભાજપની મજબૂત સ્થિતિ જોવા મળી રહી છે.