કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે માનહાની કેસમાં અમદાવાદ કોર્ટમાં હાજર થયા હતા. ત્યા જામીન મળ્યા બાદ રાહુલ ગાંધીએ સર્કીટ હાઉસમાં કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, અમે સત્યની લડાઈ લડી રહ્યા છીએ. હું કોઈથી ડરતો નથી. ભાજપ પાસે પાવર છે તેનો તે ઉપયોગ કરી રહ્યાં છે. ભાજપ પૈસા અને પાવરનો ખોટો ઉપયોગ કરે છે. ભ્રષ્ટાચાર સામે લડાઈ લડી રહ્યો છું. મને દબાવવા, ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.