કપડવંજઃ ગુજરાત કોંગ્રેસે હવે પોતાના ધારાસભ્યો અને નેતાઓને વધુ સક્ષમ બનાવવા માટે આગામી દિવસોમાં તાલીમ શિબીરનું આયોજન કર્યું છે. મળતી માહિતી પ્રમાણે આગામી 9 ફેબ્રુઆરીથી ત્રી-દિવસીય તાલીમ શિબીરનું કોંગ્રેસ દ્વારા કપડવંજની એક ખાનગી રિસોર્ટમાં આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત અને અહેમદ પટેલ સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. આ ત્રી દિવસીય શિબીર દરમિયાન કોંગ્રેસ સેડો મિનીસ્ટ્રીની રચના કરશે. જેમાં તમામ ધારાસભ્યોને તેમની આવડત પ્રમાણે ખાતાઓની ફાળવણી કરવામાં આવશે.