લોકસભા ચૂંટણીમાં મળેલ કારમા પરાજય બાદ કેટલાક રાજ્યોમાં મતભેદ અને ભાગી જવાની આશંકા વચ્ચે કોંગ્રેસ પાર્ટીમાં મોટી રાજકીય ઉથલ-પાથલ જોવા મળી રહી છે. રાહુલ ગાંધીએ વાયનાટની મુલાકાત વચ્ચે સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છએ કે, તેમના કોંગ્રેસ અધ્યક્ષ પદથી રાજીનમું પરત ન લેવા નિર્ણય કર્યો છે તેવી સ્થિતિમાં પાર્ટીમાં એકથી વધુ કાર્યકારી અધ્યક્ષ બનાવવાના મોડેલ અંગે ચર્ચા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, નવા ઉત્તરીધિકારી મામલે લાંબા મંથન બાદ પાર્ટીના સભ્યો વચ્ચે આ મુદ્દે સહમતિ સધાઇ છે કે, કોંગ્રેસમાં 2 કાર્યકારી અધ્યક્ષ હોવા જોઇએ. તેમાંથી એક દક્ષિણ ભારતમાંથી હશે તો તે પાર્ટી માટે સારુ રહેશે. તો આ વચ્ચે એક પ્રસ્તાવ એવો પણ રાખવામાં આવ્યો કે, કાર્યકારી અધ્યક્ષ અનૂસૂચિત જાતિઓ અને અનૂસૂચિત જનજાતિમાંથીન હોવા જોઇએ.
2 મહિનામાં કોંગ્રસને મળશે નવા અધ્યક્ષઃ સૂત્ર
રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું પરત લેવાના નનૈયા બાદ પાર્ટીના નવા અધ્યક્ષ માટે તપાસ હાથ ધરવામાં આવી છે. એટલુ જ નહીં ગાંધી પરિવારે એમ પણ સ્પષ્ટ રીતે કહ્યું છે કે, પ્રિયંકા ગાંધી પણ અધ્યક્ષ નહીં બને. રાહુલ ગાંધીએ ગત કાર્યસમિતિની બેઠકમાં આ વાત સ્પષ્ટ રીતે જણાવી હતી.
આ સમય ગાળામાં કોંગ્રેસના નજીકના સૂત્રોનું માનીએ તો આગામી અધ્યક્ષ ગાંધી પરિવારમાંથી નહીં હોય અને આગામી 2 માસમાં નવા અધ્યક્ષની પસંદગી કરી લેવામાં આવશે. હાલ આ મામલે કેટલાક નામો પર ચર્ચા ચાલી રહી છે જેમાં ગાંધી પરિવારની મૂક બહુમતિ પણ હોય અને બાકી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને તે સ્વીકાર્ય પણ હોય. આપને જણાવી દઇએ કે, આગામી અધ્યક્ષ મહારાષ્ટ્રમાંથી બનવવામાં આવી શકે છે.
કેટલાક જાણકારોના મતે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી નજીકના ભવિષ્યમાં યોજાવા જઇ રહી છે તેવા સમયગાળામાં એક મહારાષ્ટ્રીયન અધ્યક્ષ પાર્ટી માટે સારો સાબિત થઇ શકે છે. આ સાથે જ એ અટકળો પર પણ વિરામ લાગી ગયો છે કે, રાહુલ ગાંધી ફરીવાર અધ્યક્ષ પદે વાપસી કરશે.
શિંદે અને ખડગેના નામની ચર્ચા
પાર્ટીના નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ, આ પદ માટે કેટલાક નામોની યાદી રજૂ કરવામાં આવેલ, જેમાં અનુસૂચિત જાતિના નેતા સુશીલ કુમાર શિંદે અને મલ્લિકાર્જુન ખડગે જોડાઇ શકે છે. તેની સાથે જ જ્યોતિરાદિત્ય સિંધિયાના નામની પણ યુવા અધ્યક્ષ સ્વરૂપે લેવામાં આવેલ છે.
ગેહલોતને લાગી શકે છે ઝટકો
સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ જાણકારી મુજબ, નેતા તેમણે પાર્ટીનું નેતૃત્વ કરવાના અભિયાનમાં પૂર્ણ યોગદાન આપ્યું નથી તેમણે તેની કિંમત ચૂકવવી પડશે. તેમાથી એક છે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ સામેલ છે. આપને જણાવી દઇએ કે, ગેહલોતના દિકરી વૈભવને જોધપુર લોકસભામાં હાર મળી છે. તે હારનું ઠિકરુ રાજ્યના કોંગ્રેસ અધ્યક્ષ અને નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ પર ફોડવામાં આવી રહ્યું છે.