ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી રાજકોટ ખાતે VTV Conclave - Election 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અર્જુન મોઢવાડિયા, પરેશ ધાનાણી, લલિત કગથરા, ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા સહિત દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં હતા. જેઓની સાથે મુખ્યત્વે સૌરાષ્ટ્રની રાજકીય સ્થિતિના ચિતાર અંગે ચર્ચા કરવામાં આવી.
VTV Conclave - Election 2022નું આયોજન
કોંગ્રેસ નેતા લલિત કગથરા સાથે ખાસ વાતચીત
ભાજપ કોંગ્રેસને તોડવાનું કરે છે કામઃ લલિત કગથરા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોની હલચલ વધી ગઈ છે. ચૂંટણીની તારીખ જાહેર થવાની તૈયારી છે ત્યારે રાજકીય પક્ષોની ગતિવિધીઓ તેજ થઈ રાજકીય માહોલ જામતો નજરે ચડતો જોવા મળી રહ્યો છે. રાજકીય પક્ષોની અંદરો-અંદર ખેચાતાણ શરૂ થઈ ગઈ છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકોટ ખાતે VTV Conclave - Election 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી પંથકના ટોચના કોંગી નેતા અને ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે જ લલિત કગથરાએ ગુજરાતમાં કોંગ્રેસ આ વખતે 125 બેઠકો સાથે સરકાર બનાવશે તેવો દાવો કર્યો હતો. જેનો વીડિયો નીચે છે.