પંજાબમાં કોંગ્રેસના કકળાટનો અંત આવ્યો છે. હવે આશા સેવામાં આવી રહી છે કે રાજસ્થાનમાં ચાલતા કોંગ્રેસના કલેશનું પણ સમાધાન થઈ જશે. રાજસ્થાનમાં મંત્રીમંડળના વિસ્તરણ ગરમા ગરમી વચ્ચે પ્રભારી અજય માકનની હાજરીમાં ધારાસભ્યોની બેઠક યોજાઈ.
પંજાબમાં કોંગ્રેસના કકળાટનો અંત આવ્યો
કેપ્ટન અને સિંદ્ધુ વચ્ચે ચાલતા ગજગ્રાહનો અંત આવ્યો
ગેહલોત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે
પંજાબમાં કોંગ્રેસના કકળાટનો અંત આવ્યો
પંજાબમાં કોંગ્રેસના કકળાટનો અંત આવ્યો છે. હવે આશા સેવામાં આવી રહી છે કે રાજસ્થાનમાં ચાલતા કોંગ્રેસના કલેશનું પણ સમાધાન થઈ જશે. રાજસ્થાનમાં મંત્રીમંડળના વિસ્તરણ ગરમા ગરમી વચ્ચે પ્રભારી અજય માકનની હાજરીમાં ધારાસભ્યોની બેઠક યોજાઈ. બેઠક બાદ મંત્રી મંડળમાં વિસ્તરણનો અંતિમ નિર્ણય હાઈકમાન્ડ પર છોડાયો છે. રાજસ્થાનમાં ગેહલોત અને પાયલટ જૂથ વચ્ચે જગજાહેર વિવાદ છે. અને આજની બેઠક પછી એટલું તો કહી શકાય કે પાયલટ જૂથનું વર્ચસ્વ વધ્યું છે. ત્યારે શું છે રાજસ્થાનમાં કોંગ્રેસના કકળાટનું વી ફેક્ટર?. જુઓ આ અહેવાલમાં
કેપ્ટન અને સિંદ્ધુ વચ્ચે ચાલતા ગજગ્રાહનો અંત આવ્યો
પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલો વિવાદ હવે ખતમ થઈ ગયો છે. કેપ્ટન અને સિંદ્ધુ વચ્ચે ચાલતા ગજગ્રાહનો અંત આવ્યો છે. સિંદ્ધુ પંજાબ કોંગ્રેસના પ્રમુખ બન્યા છે. પંજાબમાં સિંદ્ધુનો હાથ ઉપર રહ્યો છે. હવે આ જ રીતે રાજસ્થાનમાં પણ ગેહલોત પાયલટ જૂથ વચ્ચેના વિવાદનો અંત આવશે તેવી આશા કોંગ્રેસી કાર્યકરો સેવી રહ્યા છે. રાજસ્થાનમાં મંત્રી મંડળમાં વિસ્તરણની વાતો વચ્ચે કહેવામાં આવ્યું છે કે અંતિમ નિર્ણય હાઈકમાન્ડ કરશે. હવે મંત્રીમંડમાં વિસ્તરણ કરવાનો અધિકાર મુખ્યમંત્રીને હોય છે. મુખ્યમંત્રી જે ધારાસભ્યને ઈચ્છે તેને પોતાના મંત્રીમંડળમાં સમાવેશ કરી શકે છે. પરંતુ અહીં નિર્ણય હાઈકમાન્ડ કરવાનું છે. તેથી એટલું તો સ્પષ્ટ છે કે પાયલટ અશોક ગેહલોત કરતા બળિયા સાબિત થઈ રહ્યા છે. તો કેબિનેટના વિસ્તારને લઈ કોંગ્રેસના ધારાસભ્યોની જયપુરમાં યોજાયેલી બેઠક પહેલા પાયલટ જૂથે જોરદાર સુત્રોચ્ચાર કરી સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવા માંગણી કરી હતી.
ગેહલોત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે
રાજસ્થાનમાં આગામી 28 જુલાઈએ ગેહલોત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. કોંગ્રેસ મહાસચિવ કે.સી.વેણુગોપાલ અને રાજસ્થાન કોંગ્રેસ પ્રભારી અજય માકનની ઉપસ્થિતિમાં પ્રદેશ કોંગ્રેસ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્યોને 28 જુલાઈ સુધી જયપુરમાં જ રહેવાનો નિર્દેશ અપાયો છે. બેઠક બાદ પ્રભારી અજય માકને કહ્યું હતું કે, મંત્રી મંડળમાં વિસ્તારણને લઈ નેતાઓ વચ્ચે કોઈ વિરોધાભાસ નથી. તમામ કોંગ્રેસી નેતાઓ હાઈકમાન્ડની વાત સાંભળશે.
રાજસ્થાનમાં એવું તો કહી શકાય છે કે આગામી નવી કેબિનેટમાં પાયલટ જૂથનું સ્થાન ઉપર હશે. 28 જુલાઈએ રાજસ્થાનમાં ગેહલોત સરકારનું વિસ્તરણ થવાનું છે. જેમાં સચિન પાયલટનો હાથ ઉપર રહેશે તે નક્કી છે. એવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે સચિન પાયલટને રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવી શકે છે. પંજાબની માફક પાયલટને પ્રદેશ પ્રમુખ અને અશોક ગેહલોતને મુખ્યમંત્રી તરીકે ચાલુ રખાશે અને બન્ને જૂથ વચ્ચે ચાલતા વિવાદનો અંત લાવવામાં આવશે કોંગ્રેસ ઈચ્છી રહ્યું છે કે જલદીમાં જલદી રાજસ્થાનમાં આ વિવાદનો અંત આવે અને આ જ કારણે કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે.સી.વેણુગોપાલ અને રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી અજય માકન જયપુર પહોંચ્યા હતા શનિવારે બન્નેએ મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે પણ મુલાકાત કરી હતી
રાજસ્થાનમાં જ્યારે વસુંધરા રાજની સરકાર હતી ત્યારે સચિન પાયલટ રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ હતા, તેમણે ચૂંટણીમાં ખુબ જ મહેનત કરી કોંગ્રેસને જીત અપાવી હતી. જ્યારે ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો ત્યારે પાયલટને મુખ્યમંત્રી બનાવવા માટે ખુબ જ લોબિંગ થયું હતું. પરંતુ મુખ્યમંત્રી પદ અશોક ગેહલોતના ફાળે ગયું હતું. જ્યારે નાયબ મુખ્યમંત્રી પદ પાયલટને મળ્યું હતું. જો કે ફરી પાયલટ અને ગેહલોત જૂથ આમને સામને આવી ગયા હતા. જેના કારણે પ્રદેશ પ્રમુખની ખુરશી અને નાયબ મુખ્યમંત્રી પદની ખુરશી સચિન પાયલટે ખાલી કરવાનો વારો આવ્યો હતો. હવે ફરી એકવાર પાયલટ જૂથને આશા છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ તેમને મોટી જવાબદારી સોંપશે. ત્યારે જોવું રહ્યું કે રાજસ્થાનમાં શું થાય છે.