મહારાષ્ટ્રમાં ત્રણ પાર્ટીઓ ભેગી થઈને સરકાર ચલાવી રહી છે ત્યારે ફરીવાર આ પાર્ટીઓ વચ્ચે વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસે શિવસેનાને સીધી ચેતવણી આપી દીધી છે.
ઔરંગાબાદનું નામ બદલવા માટે મહારાષ્ટ્રમાં મહાસંગ્રામ
કોંગ્રેસે કહ્યું કે જો આવું કર્યું તો સરકાર આવી જશે ખતરામાં
શિવસેનાએ કહ્યું કોંગ્રેસ સરકાર છોડીને નહીં જાય
ગઠબંધનમાં ફરી મડાગાંઠ
મહારાષ્ટ્રમાં ફરીવાર ગઠબંધનથી ચાલી રહેલ સરકાર વચ્ચે વિવાદ સામે આવ્યો છે. ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કરવાને લઈને મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. સરકાર ચલાવી રહેલ શિવસેના અને કોંગ્રેસ સામસામે આવી ગઈ છે અને કોંગ્રેસ નેતા સંજય નિરૂપમે કહ્યું છે કે જો નામ બદલવામાં આવ્યું તો સરકાર ખતરામાં પડી જશે.
કોંગ્રેસ થઈ ગઈ નારાજ
નોંધનીય છે કે ઔરંગાબાદમાં મનપાની ચૂંટણી આવી રહી છે અને દરેક ચૂંટણીમાં ઔરંગાબાદનું નામ બદલવાનો મુદ્દો ઉછળે છે. મહારાષ્ટ્રના કોંગ્રેસ અધ્યક્ષ બાળાસાહેબ થોરાટે પણ નારાજગી વ્યક્ત કટી હતી. તેમણે કહ્યું કે જો આવો કોઇ પ્રસ્તાવ આવશે તો કોંગ્રેસ તેનો વિરોધ કરશે.
શિવસેનાને ખૂલી ચેતવણી
બીજી તરફ સંજય નિરૂપમે કહ્યું કે મહારાષ્ટ્રમાં ત્રણ પાર્ટીની સરકાર ચાલી રહી છે અને એવામાં જો કોઇ એક ઘટક દળ પોતાનો એજન્ડા થોપવાના પ્રયાસ કરશે તો તે સરકારના સ્વાસ્થ્ય માટે સારું રહેશે નહીં. જો શિવસેના વધારે જીદ કરશે તો સરકાર સામે ખતરો બની શકે છે.
ભાજપે કહ્યું ચૂંટણી આવતા જ શિવસેનાને આ મુદ્દો યાદ આવ્યો
બીજી તરફ સંભાજી નગર નામ કરવાને લઈને ભાજપે કહ્યું કે તે શિવસેનાની સાથે ઊભી છે. ભાજપ પ્રવક્તા અને ધારાસભ્ય શિવસેનાને હવે જ્યારે ચૂંટણી માથા પર છે ત્યારે આ બધુ યાદ આવી રહ્યું છે. મનસેના નેતાએ પણ શિવસેનાને યાદ અપાવ્યું છે કે શિવસેના પહેલા પણ ઘણીવાર આ શહેરનું નામ બદલવા માટે પ્રસ્તાવ કર્યો છે.