ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો, 'કાતિલ ઠંડીને કારણે રાજ્યના લાખો ખેડૂતો રાત્રે ખેતરમાં વ્યાપક પરેશાની ભોગવી રહ્યા છે ખેડૂત આગેવાનો અને કોંગ્રેસ પક્ષ તરફથી ખેડૂતોને દિવસે વીજળી આપવાની માગ'
કૉંગ્રેસની ખેડૂતોને દિવસે વીજળી આપવા માગ
ખેડૂતનું ટાઢ મોત થતાં લખ્યો મુખ્યમંત્રીને પત્ર
વિદ્યાર્થીઓને રાહત આપી હવે ખેડૂતને આપો
ગુજરાત કૉંગ્રેસે ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવા મુખ્યમંત્રીને પત્ર લખી માગણી કરી છે. ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ આ પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે લખ્યું કે સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે જેની સીધી અસર માનવજીવન પર પડી રહી છે.
મનીષ દોશીનો મુખ્યમંત્રીને પત્ર
પ્રવક્તા દોશીએ આગળ લખ્યું છે કે, કાતિલ ઠંડીને કારણે રાજ્યના લાખો ખેડૂતો રાત્રે ખેતરમાં વ્યાપક પરેશાની ભોગવી રહ્યા છે અનેક ખેડૂત આગેવાનો અને કોંગ્રેસ પક્ષ તરફથી પણ ખેડૂતોને દિવસે વીજળી આપી કાતિલ ઠંડીમાંથી બચાવવા માંગ આપની સમક્ષ કરી રહ્યા છીએ.
કૉંગ્રેસની દિવસે વીજળી આપવાની માંગ
કૉંગ્રેસના આ પત્રમાં મોડાસાના ટીટોઈના 57 વર્ષના લવજભાઈ વિરસંગભાઈ પટેલનો પણ ઉલ્લેખ કર્યો છે. વાડીમાં રાત્રે પાણી વાળવા ગયેલા ખેડૂત ઠંડીમાં ઠુંઠવાઈને ખેતરમાં મૃત હાલતમાં મળ્યા હતા. ત્યારે સરકાર સહિત સૌએ ખેડૂતોની ચિંતા કરવાનો સમય પાકી ગયો હોવાનું જણાવ્યું હતું. લાંબા સમયથી વિવિધ ખેડૂતો અને કૉંગ્રેસ દિવસે વીજળી આપવા માટે માંગ કરી રહ્યા છે.
કૉંગ્રેસના આ પત્રમાં બે વિદ્યાર્થીના શાળા કૉલેજમાં થયેલા મોતનો પણ ઉલ્લેખ કરાયો છે. શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રાથમિક શાળામાં 1 કલાકના સમય ફેરફાર કરવાના નિર્ણયને કૉંગ્રેસ આવકાર્યો છે.