મહેસાણાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે અને રાજ્યમાં ભાજપની સરકાર ફરી એકવાર બની છે. ત્યારે કોંગ્રેસે પોતાની હારને લઇ મહેસાણા ખાતે ચિંતન શિબિરનું આયોજન કર્યું છે. જેનો આજે બીજો દિવસ છે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છ અને દ.ગુજરાતના આગેવાનો હાજર રહ્યા હતા.
જેમાં કોંગ્રેસની ફરી EVMને લઇ વિવાદ વિકર્યો છે. EVM મુદ્દે કોંગ્રેસના બે જૂથ આમન-સામને આવી ગયા છે. જીતેલા ઉમેદવારોના મતે EVMમાં કોઇ ખામી ન હતી. જ્યારે હારેલા ઉમેદવારોની EVMમાં ગડબડી થઇ હોવાની રજૂઆત કરી છે. ગઇકાલે પણ શિબિરમાં EVMમાં ગડબડી મામલે રજૂઆત થઇ હતી.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની હારને લઇ કોંગ્રેસ મંથન કરી રહી છે. ત્યારે આજે કોંગ્રેસની ચિંતન શિબિરનો મહેસાણા ખાતે બીજો દિવસ છે. આજે સૌરાષ્ટ્ર કચ્છ અને દ.ગુજરાતના જિલ્લાઓની ચર્ચા કરાઇ રહી છે. મોરબી સુરેન્દ્રનગર સુરત વાપી રાજકોટ જામનગર કચ્છ નર્મદા પોરબંદર દ્વારકા ગીરસોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર અને બોટાદ જીલ્લાના આગેવાનો હાજર રહ્યા હતા. જેમની સાથે હારને લઇ બેઠક યોજવામાં આવી છે.