રાહુલ ગાંધી(Rahul Gandhi)ના પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યા બાદ કોંગ્રેસના નવા અધ્યક્ષ કોણ હશે તે મોટો પ્રશ્ન બની રહ્યો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પાર્ટીના કેટલાક મોટા નેતાઓએ નવા અધ્યક્ષ તરીકે કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધીનું નામ આગળ કર્યું હતું. 10 ઓગસ્ટે યોજાનારી કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં નવા અધ્યક્ષના નામને લઇને એલાન પણ થઇ શકે છે.
જોકે હજુ પાર્ટી તરફથી નવા અધ્યક્ષની ચૂંટણી અથવા કોઇના નામની પસંદગીને લઇે કોઇ ઔપચારિક જાહેરાત કરાઇ નથી. કેટલાક દિવસ પહેલા રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધીને અધ્યક્ષ બનાવવાની માંગે જોર પકડ્યું હતું. હાલ કોંગ્રેસ નેતૃત્વહીન છે. પાર્ટીના વૃદ્ધ નેતા પ્રિયંકા ગાંધીને અધ્યક્ષ બનાવવાના પક્ષમાં મજબૂતીથી ઉભા હતા. જ્યારે યુવા નેતાઓનો એક વર્ગ રાહુલ ગાંધીની યોજનાનું સમર્થન કરી રહ્યું હતું.
રાહુલ ભલે જ પરિવારના કોઇ સભ્યને અધ્યક્ષ બનાવવા પર વિરોધ કરી રહ્યા હોય, પરંતુ પ્રિયંકા ગાંધીના સોનભદ્ર પરના એક્શને પાર્ટી અને પાર્ટીથી બહાર ઘણા લોકોના દિલ જીત્યા છે. સોનિયા ગાંધીની આસપાસ રહેનાર લોકોનું માનવું છે કે ઉત્તર પ્રદેશમાં પ્રિંયકા ગાંધીના હસ્તક્ષેપ બાદ એમને એક વિજેતા મળી ગયા છે. પરંતુ રાહુલ ગાંધીને તે સ્વીકાર્ય નથી.
પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ અને તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂર એ નેતાઓમાં સામેલ છે. જેમણે પ્રિયંકા ગાંધીનું સમર્થન કર્યું હતું. પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરે કહ્યું હતું કે પ્રિયંકા ગાંધી બિલકુલ યોગ્ય વિકલ્પ રહેશે, પરંતુ નિર્ણય કોંગ્રેસ કાર્યકારિણીએ લેવાનો છે.
અમરિન્દરે કહ્યું હતું કે પ્રિયંકા હવે પછીના અધ્યક્ષ માટે એક શાનદાર વિકલ્પ છે. જેમને તમામનું સમર્થન મળશે. શશિ થરૂરથી સહમત છું કે પ્રિયંકાનો સ્વાભાવિક કરિશ્મા કાર્યકર્તાઓ અને મતદારોને સમાન રૂપે પ્રેરિત કરશે. આશા છે કે સીડબલ્યૂસી તેના પર જલ્દી નિર્ણય લેશે.
It has been decided to hold the next Congress Working Committee Meeting on saturday, 10th of August 11am at AICC.@INCIndia@AICCMedia
પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર વિરુદ્ધ પૂર્ણ રીતે સક્રિય છે. પ્રિયંકા ગાંધી સતત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ હુમલા કરી રહ્યા છે. પાર્ટીના નેતાઓ અનુસાર, કાર્યકારી અધ્યક્ષની નિયુક્તિમાં વિલંબથી પાર્ટીને નુકશાન થઇ રહ્યું છે. જે, હાલ અધ્યક્ષ વિહીન છે. નેતૃત્વ ન હોવાને કારણે લોકોના મનમાં શંકા પેદા થઇ રહી છે. અને હાઇકમાને રાજ્ય નેતૃત્વને સ્પષ્ટ દિશાનિર્દેશ ન મળવાને કારણે જ કોંગ્રેસ એક મહત્વપૂર્ણ દક્ષિણનું રાજ્ય કર્ણાટક ગુમાવી બેઠી છે.