કોર્પોરેટ ટેક્સમાં કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલી રાહતને લઇને કોંગ્રેસે મોદી સરકાર પર પલટવાર કર્યો છે. જેમાં કોંગ્રેસે જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને અન્નદાતાની નહીં, માત્ર ધનદાતાઓના હિતની ચિંતા છે.
કોર્પોરેટ ટેક્સ પર રાહતને લઇને કોંગ્રેસના સરકાર પર પ્રહાર
નોકરીયાત અને મધ્યમ વર્ગ પર 33 ટકા ટેક્સ
મોટી કંપનીઓ પર 22 ટકા ટેક્સ કરાયો
રણદીપ સુરજેવાલાના સરકાર પર પ્રહાર
ગઇકાલે નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા કરાયેલા કોર્પોરેટ ટેક્સની જાહેરાત બાદ કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર આ બાબતે આકરા પ્રહાર કર્યાં છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે નોકરી કરતા લોકો અને મધ્યમ વર્ગ પર 33 ટકા ટેક્સ, જ્યારે મોટી કંપનીઓ પર 22 ટકા ટેકસ છે. જે દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીને અન્નદાતાની નહીં પરંતુ ધનદાતાઓના હિતની ચિંતા છે.
नौकरी पेशा लोगों व मध्यम वर्ग पर टैक्स-33%
बड़ी कंपनियों पर टैक्स - 22%
साफ़ है,
भाजपा को ‘अन्नदाता’ नहीं केवल ‘धनदाताओं’ के हितों की चिंता है। https://t.co/5HkX51VkHg