પંજાબથી લઈને છત્તીસગઢ સુધી મતભેદ સામે ઝઝૂમી રહેલી કોંગ્રેસને પૂર્વોત્તરના આ રાજ્યમાંથી મોટો આંચકો મળવાનો છે.પુર્વ મુખ્યમંત્રી સહિત 12 નેતાઓ કોંગ્રસ છોડી આ પાર્ટીમાં જોડાશે
પૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમા કોંગ્રેસના નેતૃત્વથી નાખુશ
મુકુલ સંગમાએ પ્રદેશ અધ્યક્ષની નિમણૂંક અંગે દર્શાવી નારાજગી
સુષ્મિતા દેવની મેઘાલયની મુલાકાત બાદ ચર્ચાઓ જોર પકડ્યુ
પૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમાં સહિત 12 નેતાઓ TMC માં જોડાઈ શકે
પંજાબથી લઈને છત્તીસગઢ સુધી પરસ્પર મતભેદ સામે ઝઝૂમી રહેલી કોંગ્રેસને બીજા એક રાજ્યમાંથી વધુએ મોટો આંચકો મળવાનો છે. મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમા અને પૂર્વોત્તર પહાડી રાજ્યના એક ડઝન જેટલા ઘારાસભ્યો જલ્દી જ કોંગ્રેસ છોડીને મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભૂતપૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમા, જેઓ હવે વિઘાનસભામાં વિપક્ષના નેતા છે. જે હવે કોંગ્રેસના નેતૃત્વથી નાખુશ છે.તેમને લાગે છે કે તેમની જૂની પાર્ટીમાંથી સાઈડલાઈન કરવામાં આવ્યા છે.
મુકુલ સંગમાએ અધ્યક્ષપદની નિમણૂંક અંગે નારાજગી વ્યક્ત કરી હતી
તાજેતરમાં જ સંગમાએ લોકસભા સાંસદ વિન્સેન્ટ એચ પાલાની પાર્ટીના પ્રદેશ એકમના અધ્યક્ષ તરીકે નિમણૂક અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં, તેઓ મુખ્યત્વે ગારો હિલ્સ પ્રદેશના ધારાસભ્યો સાથે પાર્ટીના બે મોટા કાર્યક્રમોથી દૂર રહ્યા. સંગમાએ અગાઉ તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને પાર્ટી સુપ્રીમો મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી સાથે કોલકાતામાં તેમની તાજેતરની બેઠકના અહેવાલોને નકારી કા્યા હતા.
સુષ્મિતા દેવની મેઘાલયની મુલાકાત બાદ ચર્ચા વધી જવા પામી
જો કે, ,સુષ્મિતા દેવની મેઘાલયની મુલાકાત બાદ ચર્ચા વધી જવા પામી છે. સંગમા ટીએમસીમાં જોડાવા જઈ રહ્યાં છે. તમને જણાવી દઈએ કે ઓગસ્ટમાં જ સુષ્મિતા દેવ કોંગ્રેસ છોડીને ટીએમસીમાં જોડાયા હતા. જો સંગમા કોંગ્રેસ છોડે તો અન્ય ઘણા ધારાસભ્યો પણ પાર્ટી છોડી શકે છે. એક મિડીયા રિપોર્ટ અનુસાર કહેવામાં આવ્યું છે કે સંગમા મેઘાલયમાં તૃણમૂલ નેતાઓ સાથે વાતચીત કર્યા બાદ અંતિમ જાહેરાત કરી શકે છે.
પૂર્વ કેન્દ્વીય મંત્રી બાબુલ સુપ્રિયો પણ TMC માં પરત ફર્યા
ઉલ્લેખનીય છે કે, બંગાળમાં સતત ત્રીજી વખત સત્તા પર આવ્યા બાદથી તૃણમૂલ કોંગ્રેસ ભરતી અને ઘરફોડ ચોરીની રેસમાં છે. મમતા બેનર્જીએ તેમની રાષ્ટ્રીય મહત્વાકાંક્ષાઓ સ્પષ્ટ કરી છે. અને ઘણા નેતાઓ, મોટાભાગે કોંગ્રેસમાંથી, તાજેતરના સમયમાં તૃણમૂલ કોંગ્રેસમાં ગયા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો સહિત ભાજપના કેટલાક નેતાઓ પણ ટીએમસીમાં ઘરે પરત ફર્યા છે. ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા લુઇઝિન્હો ફાલેરોને બુધવારે કોલકાતામાં ટીએમસીમાં સામેલ કરવામાં આવ્યા હતા.