પ્રધાનમંત્રી મોદીએ આજે મધ્ય પ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં નામીબિયાથી લાવેલા ચિત્તાને છુટ્ટા મુક્યા છે. તેના પર કોંગ્રેસે પીએમ પર આરોપ લગાવ્યો છે.
સાત દાયકા બાદ ભારતમાં ચિત્તાનું આગમન થયું
માનીબિયાથી લાવેલા ચિત્તાને પીએમ મોદીએ કૂનો પાર્કમાં છુટ્ટા મુક્યા હતા
આ સમગ્ર ઘટના ક્રમને કોંગ્રેસ પાર્ટીએ તમાશો ગણાવ્યો છે
પ્રધાનમંત્રી મોદીએ આજે મધ્ય પ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં નામીબિયાથી લાવેલા ચિત્તાને છુટ્ટા મુક્યા છે. તેના પર કોંગ્રેસે પીએમ પર આરોપ લગાવ્યો છે કે, તેમણે ભારત જોડો યાત્રામાંથી ધ્યાન ભટકાવવા માટે આ બધો તમાશો કર્યો છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે એક ટ્વિટમાં કહ્યું કે, ચિત્તા પ્રોજેક્ટમાં તેમના પ્રયત્નોને પીએમે ઉલ્લેખ સુધ્ધા પણ ન કર્યો. તે શાસનમાં નિતંરતાને ક્યારેય સ્વિકાર કરી શકતા નથી.
જયરામ રમેશે ટ્વિટમાં લખ્યું કે, પીએમ શાસનમાં નિરંતરતાને ભાગ્યે જ સ્વિકાર કરે છે. ચિત્તા પ્રોજેક્ટ માટે 25.04.2010ના રોજ કેપટાઉનની મારી યાત્રાનો ઉલ્લેખ ન થવો, તેનું તાજુ ઉદાહરણ છે. આજે પીએમે કારણ વગરનો તમાશો ઊભો કર્યો છે. તે રાષ્ટ્રીય મુદ્દાને દબાવવા અને ભારત જોડો યાત્રાથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે.
पीएम शासन में निरंतरता को शायद ही कभी स्वीकार करते हैं। चीता प्रोजेक्ट के लिए 25.04.2010 को केपटाउन की मेरी यात्रा का ज़िक्र तक न होना इसका ताज़ा उदाहरण है। आज पीएम ने बेवजह का तमाशा खड़ा किया। ये राष्ट्रीय मुद्दों को दबाने और #BharatJodoYatra से ध्यान भटकाने का प्रयास है। 1/2 pic.twitter.com/V0Io8OMYyD
તેમણે કહ્યું કે, 2009-11 દરમિયાન જ્યારે વાધને પહેલી વાર પન્ના અને સરિસ્કામાં સ્થળાંતરિત કર્યા ત્યારે કેટલાય લોકોએ આશંકાઓ વ્યક્ત કરી રહ્યા હતા. તે ખોટા સાબિત થયા. ચિત્તા પ્રોજેક્ટ પર પણ આવી રીતે ભવિષ્યવાણીઓ થઈ રહી છે, તેમાં સામેલ પ્રોફેશનલ્સ બહું સારા છે. આ પ્રોજેક્ટ માટે શુભકામનાઓ આપુ છું.
આ સમગ્ર ઘટનાક્રમ પર કોંગ્રેસ નેતા પવન ખેડાએ પણ કટાક્ષ કર્યો હતો, તેમણે પોતાના ટ્વિટર હૈંડલ પર જયરામ રમેશેના ટ્વિટને રિટ્વિટ કરતા લખ્યું કે, તેમનો સિંહ હાલમાં દેશ જોડવા નિકળ્યો છે, તો દેશ તોડનારા વિદેશથી ચિત્તા લાવી રહ્યા છે. તેમણે લખ્યું- કારણ કે અમારો સિંહ ભારત જોડો યાત્રા પર નિકળ્યો છે, તો ભારત તોડનારા વિદેશથી હવે ચિત્તા લાવી રહ્યા છે.
પ્રધાનમંત્રી મોદીએ શનિવારે મધ્ય પ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં નામીબિયાથી લાવેલા ચિત્તાને એક ખાસ વાડામાં છોડ્યા હતા. આ અવસરે મોદીએ પોતાના પ્રોફેશનલ કેમેરાથી ચિત્તાની અમુક તસ્વીરો પણ કેદ કરતા દેખાયા હતા. ભારતમાં ચિત્તા વિલુપ્ત થયાના સાત દાયકા બાદ દેશમાં ફરીથી તેને વસાવવાના પ્રોજેક્ટ અંતર્ગત માનીબિયાથી આઠ ચિત્તા શનિવારે સવારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં પહોંચ્યા હતા. પહેલા તેમને સ્પેશિયલ પ્લેન દ્વારા ગ્વાલિયર એરપોર્ટ પર લાવ્યા અને બાદમાં હેલીકોપ્ટરથી શ્યોપુર જિલ્લાના કૂનો પાર્ક લઈ જવામાં આવ્યા હતા.