અમરેલીઃ સાવરકુંડલામાં માર્કેટયાર્ડમા ભાજપનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જે સંમેલનમાં કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવિયા હાજરીમાં સાવરકુંડલા માર્કેટયાર્ડના ચેરમેન દિપક માલાણી ભાજપમા જોડાયા. જોકે દિપક માલાણી સહિતના કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે. સાથે સાંસદ નારણભાઇ કાછડીયા, જ્યંતીભાઈ કવાડિયા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં પરેશ ધાનાણીનો વિરોધ કરનારા સ્થાનિક નેતા અને માર્કેટયાર્ડના ચેરમેન દિપક માલાણીને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા હતા. સાવરકુંડલા એપીએમસીના ચેરમેન અને કોંગ્રેસના સહકારી નેતાને અમરેલી જિલ્લા કોંગ્રેસે સાત વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા. દિપક માલાણીએ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના રાજીનામની માંગ કરી હતી.
મહત્વનું છે કે અગાઉ પણ કોંગ્રેસમાં હતા તે સમયે દિપક માલાણીએ પક્ષ સામે જ મોરચો માંડ્યો હતો. સાવરકુંડલા APMCના ચેરમેન દિપક માલાણીએ કોંગ્રેસ સામે મોરચો માંડીને કોંગ્રેસના કેટલાક દિગ્ગજો સામે આક્ષેપ કર્યા હતા.