તેલંગણા પહોંચેલા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનો કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઘેરાવ કર્યો હતો, તેમના કાફલાને રોકીને નારેબાજી કરવામાં આવી હતી.
તેલંગણામાં નિર્મલા સીતારમણનો કાફલો રોક્યો
કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેન્દ્રીય મંત્રીનો કાફલો રોકી સૂત્રોચ્ચાર કર્યા
ભાજપના કાર્યકર્તાઓ સમર્થનમાં રસ્તા પર ઉતર્યા
તેલંગણામાં આજે કોંગ્રેસ અને ભાજપના સમર્થકો આમને સામને આવી ગયા હતા, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ કામારેડ્ડી પહોંચ્યા હતા. અહીં કોંગ્રેસ સમર્થકોએ કેન્દ્રીય નાણામંત્રી સીતારમણના કાફલાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. હોબાળો થતાં પોલીસે કોંગ્રેસ કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી. ઘટના બાદ ભાજપના સમર્થકોએ મંત્રીના સમર્થનમાં નારા લગાવ્યા હતા. પોલીસે કોઈ પણ રીતે વચ્ચે પડીને રસ્તો ખાલી કરાવ્યો હતો.
#WATCH | Congress supporters attempted to block the route of convoy of Union Finance Minister Nirmala Sitharaman in Kamareddy, Telangana today; they were detained. Later, BJP supporters hit the streets in support of the Minister&raised slogans. Police intervened&cleared the route pic.twitter.com/c3Yy6EveYn
કામરેડ્ડી જિલ્લાના બિરકુરમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે જાહેર વિતરણ પ્રણાલી (PDS) ની દુકાનોની મુલાકાત લીધી અને નાગરિક પુરવઠા વિભાગ અને જિલ્લા કલેક્ટર કચેરીના અધિકારીઓને પ્રશ્ન કર્યો કે દુકાનોમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર કેમ ગાયબ છે. તેમણે કામારેડ્ડીના કલેક્ટર જિતેશ પાટિલને એ પુછ્યું કે, કેન્દ્ર દ્વારા કેટલાય પીડીએસ ચોખાની સપ્લાઈ થાય છે. સંતોષજનક જવાબ ન મળવા પર સીતારમણે અધિકારીને વિતરણની ખબર લેવા અને તેને સૂચના આપવા જણાવ્યું હતું. તેમણે બાંસવાડા શહેરના કોટાગિરી પીએચસીમાં એક કોવિડ 19 રસીકરણ કેન્દ્રનો પણ પ્રવાસ કર્યો હતો અને સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી હતી.