કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોત સિંહ સિદ્ધુ આજથી ગુજરાતમાં ચૂંટણી પ્રવાસે છે. ગુજરાતમાં સૌપ્રથમ તેઓએ વલસાડ લોકસભા મત વિસ્તારના કપરાડા તાલુકાના સુથારપાડામાં એક જંગી જાહેર સભા સંબોધી હતી.
સુથારપાડામાં સભામંચની બાજુમાં જ બનેલા હેલીપેડ પર સીધું હેલિકોપ્ટર દ્વારા આવી પહોંચ્યા હતા. જ્યાં આદિવાસી સંસ્કૃતિ મુજબ સિદ્ધુનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ સભા મંચ પરથી સિધુએ આગવી શૈલીમાં અનેક મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ઝાટકણી કાઢી હતી. મહત્વપૂર્ણ છે કે 2014માં સીધું ભાજપના સ્ટાર પ્રચારક હતા. પોતાની આગવી શૈલીમાં જોરશોરથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને પણ આડે હાથ લેતા હતા.
પરંતુ 2019માં પરિસ્થિતિ બદલાઈ છે. આ વખતે સીધુ સભામંચ પરથી એ જ અદામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને આકરી ઝાટકણી કાઢી હતી. સિદ્ધુએ સભામંચ પરથી ઉપસ્થિત જનમેદનીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિ-રીતિ, સરકારની યોજનાઓ અને ત્યાં સુધી કે નરેન્દ્ર મોદીના ભાષણની પણ ઠેકડી ઉડાડી હતી. મોદીને એક નંબરના જુઠા ગણાવ્યા હતા.
સાથે જ વડાપ્રધાનના સમર્થનમાં લાગતા નારાઓની પણ ઠેકડી ઉડાડી તેઓએ અબકી બાર બસ કર યાર અને બુરે દિન જાને વાલે હૈ રાહુલ ગાંધી આનેવાલે આવું કહી. કોંગ્રેસના કાર્યકર્તાઓને પાનો ચડવ્યો હતો.