પ્રિયંકા ચતુર્વેદીએ શુક્રવારે શિવસેનામાં શામેલ થઇ ગઇ છે. પ્રિયંકાએ શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેની હાજરીમાં પાર્ટીનુ સભ્યપદ ગ્રહણ કર્યુ. આ દરમિયાન પ્રિયંકાએ કહ્યુ કે, ''મહિલા સન્માન ઘણો જ મોટો મુદ્દો છે, મેં આત્મસન્માન માટે પાર્ટી છોડી. મેં ઘણું વિચાર્યુ અને તે બાદ શિવસેનામાં જોડાવવાનો નિર્ણય કર્યો. મેં તે જાણ્યું કે કયા મુદ્દાઓ મારી પ્રાથમિકતા છે.''
Mumbai: Priyanka Chaturvedi and Shiv Sena Chief Uddhav Thackeray at Matoshree pic.twitter.com/B4izOBFqeV
આ સાથે જ શિવસેનામાં શામેલ થયા પછી તેણે કહ્યુ કે, ''હું મુંબઇ માટે કામ કરવા ઇચ્છુ છુ આ માટે આ પક્ષમાં શામેલ થઇ છું. મને ખબર છે કે મારા પર સવાલો થશે. પરંતુ મેં સમજી વિચારીને નિર્ણય કર્યો છે. મને આશા હતી કે લોકસભાની ટિકિટ મળશે, પરંતુ હુ હવે તેનાથી નિરાશ નથી.''
Deeply saddened that lumpen goons get prefence in @incindia over those who have given their sweat&blood. Having faced brickbats&abuse across board for the party but yet those who threatened me within the party getting away with not even a rap on their knuckles is unfortunate. https://t.co/CrVo1NAvz2
17 એપ્રિલના જ પ્રિયંકાએ પાર્ટીને લઇને પોતાની નારાજગી વ્યકત કરતા ટ્વીટ કરતા લખ્યુ હતુ કે, ''દુખી છું કે પોતાની મહેનતથી આગળ આવનારાની જગ્યાએ ગુંડાઓને કોંગ્રેસમાં જગ્યા મળી રહી છે. પાર્ટીના માટે મેં ગાળો અને પત્થર ખાધા છે, તેમ છતાં પાર્ટીમાં રહેનારા નેતાઓ જ મને ધમકીઓ આપી, જે લોકો ધમકીઓ આપી રહ્યા છે તેઓ બચી ગયા છે, તેમનુ કાર્યવાહી કર્યા વગર બચી જવુ ખેરખરમાં દુર્ભાગ્યપૂર્ણ છે.''
શું છે મામલો:
આ ટ્વીટની સાથે એક ચિઠ્ઠી મૂકવામાં આવી છે જેમાં વિજય લક્ષ્મીના ટ્વિટર પરથી હેન્ડલ કરવામાં આવી છે. વાસ્વતમાં આ મામલો મથુરાની તે પ્રેસ કોન્ફરન્સથી જોડાયેલો છે જેમાં પ્રિયંકાએ રાફેલના મુદ્દા પર ભાજપને ઘેર્યુ હતુ. આરોપ છે કે કોંગ્રેસના સ્થાનીય કાર્યકર્તાઓએ તેની સાથે ખરાબ વ્યવહાર કર્યો, જે પછી કેટલાક પર કાર્યવાહી પણ કરવામાં આવી. ચિઠ્ઠીમાં અનુશાસનાત્મક કાર્યવાહીના વાત કરવામાં આવી છે, પરંતુ ખલખવામાં આવ્યુ છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાના કહેવા પર આ કાર્યવાહી રદ્દ કરવામાં આવી હતી.