ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપરલીક કાંડ મુદ્દે મોકૂફ રખાયા છે જે મુદ્દે જુનિયર ક્લાર્ક પેપરલીક મામલે કોંગ્રેસ નેતા મનીષ દોશીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આ પત્રમાં પેપરલીકની ઘટના અંગે 4 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે.
ડો.મનીષ દોશીએ CMને લખ્યો પત્ર
આ પત્રમાં મનિષ દોશીએ ચાર પ્રશ્નો પૂછ્યા છે. જેમાં પ્રિન્ટિંગ પ્રેસના પેપર ગુપ્ત રીતે છપાયા છતાં આરોપીઓ સુધી માહિતી કેવી રીતે પહોંચી? તેમજ પેપરલીક કાંડમાં મોટા અધિકારી તેમજ કર્મચારીની સંડોવણી છે કે કેમ? અને પ્રશ્નપત્ર ખાનગી પ્રિન્ટીંગ પ્રેસમાં છપાવવાનો નિર્ણય કોણે લીધો એવા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. સાથે જ મનીષ દોશીએ સરકાર સમક્ષ પોતાના સવાલના જવાબ જાહેર કરવાની માગ કરી છે.
પત્રમાં આ લખ્યું
આ પત્રમાં મનિષ દોશી લખ્યું છે કે, તાજેતરમાં ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા વર્ગ-૩ જુનિયર કલાર્કની 1181 પદ માટેની ભરતી અંગે 29 જાન્યુઆરી 2023એ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું પણ ગુજરાત પંચાયત પસંદગી મંડળનું જુનિયર ક્લાર્કનું પેપર ફૂટી જતા પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.જેના લીધે 9.5 લાખ જેટલા અરજીકર્તા ગુજરાતના યુવાન-યુવતીઓ માનસિક-આર્થિક અને શારીરિક મુશ્કેલીનો ભોગ બન્યા છે. તેમણે લખ્યું કે, સમગ્ર તપાસમાં જે રીતે પોલીસ કામગીરી ચાલી રહી છે. તેમણે લખ્યું કે, તેની વિગતો વર્તમાનપત્રોમાં સામે આવે છે. સમગ્ર પેપરલીક કાંડમાં જે જે લોકો હાલ આરોપી તરીકે પોલીસે ધરપકડ કરેલ છે તેમની મોટા ભાગના આરોપીનું ભૂતકાળ ગેરરીતી-કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું સામે આવી રહ્યું છે. બોર્ડના સભ્ય રાધિકા કચોરીયા જે ભાજપાના પદાધિકારી છે.
તેમણે ઉમેર્યું કે, પેપરલીક ઘટના બાદ તેઓએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે સમગ્ર પરીક્ષાની કામગીરી આઉટસોર્સ એજન્સીને આપેલ છે. જે અંગે બોર્ડની જાણમાં હોતું નથી અને ખાનગી હોય છે. ત્યારે સૌથી અગત્યની બાબતો અંગે રાજ્ય સરકારનું મૌન ચિંતાજનક છે.
જુઓ લેટર...
1181 ખાલી જગ્યા પર યોજાવાની હતી ભરતી
1181 ખાલી જગ્યા પર યોજાનાર જુનિયર ક્લાર્કની પરિક્ષા મોકૂફ રખાઈ હતી. જૂનિયર ક્લાર્ક પરીક્ષાનું વડોદરાથી પેપર વડોદરાથી લીક થયું હતું. જેને લઈને 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ છે. બીજી બાજુ પેપરલીક કાંડમાં ATSએ કુલ 16 આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આ મામલે હવે આગામી સમયમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામા આવશે. તેવું મંડળના અધ્યક્ષ સંદિપ કુમારએ નિવેદન પણ આપ્યું હતું. વધુમાં આગામી 100 દિવસમા ફરી પરીક્ષા લેવાશે. તેવો દાવો કરવામાં આવ્યો છે. એટલું જ નહિ નવી પરીક્ષામા ઉમેદવારો વિનામુલ્યે પરીક્ષા કેન્દ્ર પર જઈ શકશે ટ્વિવું પણ સંદિપ કુમારએ કહ્યું હતું.
જુનિયર કલાર્કની પરીક્ષા અપડેટ
જૂનિયર ક્લાર્કની પરીક્ષા પહેલા પેપર લીક થયું
પરીક્ષા પહેલા પેપર લીક થતા પરીક્ષા મોકૂફ કરવાની ફરજ પડી
સમગ્ર પેપરલીક કાંડમાં પોલીસે અગાઉ એક યુવકની કરી હતી ધરપકડ
રવિવારે વહેલી સવારે પોલીસે શકમંદને ઝડપી પૂછપરછ કરતા મળી આવી હતી પ્રશ્નપત્રની નકલ
પેપરલીક કાંડને કારણે પેપર રદ કરાતા 9.53 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં
જૂનિયર ક્લાર્કની 1 હજાર 181 ખાલી જગ્યા માટે યોજાવાની હતી પરીક્ષા
પંચાયત સેવા પસંદગી મંડળ 100 દિવસ પછી ફરીથી પરીક્ષાની તારીખ કરશે જાહેર
આરોપીઓ દ્વારા ફૂટેલું પેપર 7 લાખ રૂપિયામાં વેચવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો
આરોપીઓ સફળ થાય તે પહેલા જ ગેંગને પકડી લેવામાં ATSને મળી સફળતા
ગુજરાત ATSએ હાલ સમગ્ર મામલે 16 આરોપીઓની કરી ધરપકડ
રાજ્ય બહારની પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયેલું આ પેપર પ્રેસમાંથી જ લીક થયાનું જાણવા મળ્યું છે
પરીક્ષાર્થીઓએ પેપરલીક થવાની ઘટનામાં રાજ્ય સરકારને ગણાવી જવાબદાર