Yes Bank Crisis / કોંગ્રેસે કહ્યું કે શું આ લોકોને પહેલેથી ખબર હતી કે YES Bank સાથે આવું થવાનું છે?

Congress Spokesperson alleges these organizations already predicted the collapse of Yes Bank

યસ બેંકનું ભંડોળ જોખમમાં છે. લોકો તેમના નાણાં બચાવવા દોડી રહ્યા છે. 5 માર્ચથી RBIએ બેંકના ગ્રાહકો માટે ઉપાડની મર્યાદા નક્કી કરી દીધી છે. બેંકના ડિપોઝિટર્સ એક મહિનામાં માત્ર 50 હજાર રૂપિયા ઉપાડી શકશે. RBIએ યસ બેંક પર આંશિક પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ આ દરમિયાન એક ગણગણાટ સામે આવી રહ્યો છે. કોંગ્રેસના નેતા મનીષ તિવારી સહિત ઘણા લોકો આક્ષેપ કરી રહ્યા છે કે અદાણી ગ્રૂપ અને કેટલાક અન્ય લોકોએ આ જોખમને પારખી લીધું હતું અને સમયસર બેંકમાંથી પૈસા પાછા ખેંચી લીધા હતા અથવા પૈસા જમા કરવાની ના પાડી દીધી હતી. લોકોનું કહેવું છે કે માહિતી લીક થઈ હોય તેવું લાગે છે.

બ્રેકિંગ ન્યૂઝ