મુંબઇ કોંગ્રેસના મહાસચિવ અને પૂર્વ સાંસદ સંજય નિરુપમના ઘણા નજીક માનવામાં આવતા વિશ્વબંધુ રાયે લખ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે. રાયે પોતાના પત્રમાં લખ્યું છે કે કોંગ્રેસને ખત્મ કરવાનું ષડયંત્ર સહયોગી શિવસેના અને NCP કરી રહી છે.
શિવસેના અને NCP કોંગ્રેસને ખત્મ કરવાનું ષડયંત્ર કરી રહી છે
મુંબઇમાં કોંગ્રેસ મહાસચિવ વિશ્વ બંધુ રાયે સોનિયા ગાંધીને લખ્યો પત્ર
કોંગ્રેસનું NCP અને શિવસેના સાથે ગઠબંધન ભવિષ્યમાં ઘાતક સાબિત થશે
સતત દરેક મોરચા પર કોંગ્રેસનો રાજ્યમાંથી સફાયો કરવાનો પ્રયત્ન આ બંને પાર્ટીઓ કરી રહી છે. કોંગ્રેસનો NCP અને શિવસેનાની સાથે ગઠબંધન આત્મઘાતી સાબિત થઇ શકે છે.
કોંગ્રેસનો સફાયો કરવાનું ષડયંત્ર કરી રહી છે શિવસેના, NCP
વિશ્વબંધુ રાયે સોનિયા ગાંધીને લખેલા પત્રમાં એમ પણ કહ્યું છે કે 2019ના વિધાનસભા ચૂંટણી દરમિયા જનતાના જે વચન આપવામાં આવ્યા હતા તેમાંથી અત્યાર સુધી પુરા કરાયા નથી. કોંગ્રેસની સ્થિતિ મહાવિકાસ અઘાડી સરકારમાં ઘણી દયાજનક છે.
કોંગ્રેસને સતત દબાવાનો પ્રયત્ન શિવસેના અને NCPના નેતા કરી રહ્યાં છે. એવામાં આ ગઠબંધન કોંગ્રેસ માટે ભવિષ્યમાં નુકસાનકારક સાબિત થઇ શકે છે. વિશ્વબંધુ રાયે કહ્યું કે રાજયમાં કોંગ્રેસનું નામ ભુંસી નાંખવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસને જોવે તેવું સમ્માન નથી મળી રહ્યું
મહારાષ્ટ્ર કોંગ્રેસના કેટલાક મંત્રીઓએ પણ આ વાત થોડા-થોડા સમયમાં કહેવામાં આવી હતી કે મહાવિકાસ અઘાડી સરકારમાં તેમને યોગ્ય સમ્માન અને મહત્વ આપવામાં આવી રહ્યું નથી. આવું કહેનારામાં કેટલાક તો કેબિનેટ મંત્રી પણ સામેલ છે.
થોડા સમય પહેલા જે રીતે શિવસેનાએ પોતાના સંપાદકીય દ્વારા ખુલ્લેઆમ કોંગ્રેસ હાઇકમાન્ડ અને કોંગ્રેસ પાર્ટી પર નિશાન તાક્યું હતું. જેનાથી એ સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસની પાસે આ સરકારમાં ઘણુ બધુ કરવા માટે કાંઇ નથી.
મહારાષ્ટ્રમાં મુંબઇ કોંગ્રેસના મહાસચિવ વિશ્વબંધુ રાયે મહાવિકાસ અઘાડી (MVA) સરકારના વલણ પર સવાલ ઉઠાવ્યાં છે. આ સંબંધમાં રાયે કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે. રાયે MVA સરકારમાં કોંગ્રેસને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવ્યો છે.
રાજ્યના કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના મંત્રીઓને મહારાષ્ટ્ર સરકારમાં મોટી સંખ્યામાં જમીની સ્તર પર સંગઠનનું કોઇ કામ આપવામાં આવી રહ્યું નથી. આમ જનતા સાથે પાર્ટીના કાર્યકરોને પણ મંત્રીઓના વિભાગ અંગે ખબર નથી. રાયે આગળ કહ્યું કે આપણા સહયોગી રણનીતિ બનાવીને આપણી પાર્ટીને નુકસાન પહોંચાડી રહ્યાં છે અને પોતાના પક્ષને આગળ ધપાવામાં લાગ્યા છે.