આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી બાદ રાજકારણ ગરમાયું છે, દરેક રાજકીય પક્ષ એક્શનમાં આવ્યા છે. ત્યારે હવે કોંગ્રેસના ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા વચ્ચે બેઠક યોજાઈ હોવાનું સામે આવ્યું છે.
ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા વચ્ચે થઈ બેઠક
ગઈકાલે બંને નેતાઓ વચ્ચે થઈ હતી મુલાકાત
શંકરસિંહ વાઘેલા બાપુ ને કોંગ્રેસમાં પુનઃ પ્રવેશ માટે બેઠક
મળતી જાણકારી પ્રમાણે, કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ ગુજરાત કોંગ્રેસને વિધાનસભા ચૂંટણી પહેલા મજબૂત કરવા માટે કમર કસી છે. દિલ્હી હાઈ કમાન્ડ સાથે મુલાકાત બાદ ગુજરાતના રાજકારણમાં નવા જુની થવાના એંધાણ છે. ત્યારે ભરતસિંહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે ગઈકાલે બેઠક યોજાતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.
બાપુ ફરી કોંગ્રેસમાં જોડાય તેવી વકી
ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં શંકરસિંહ બાપુના ફરી કોંગ્રેસમાં પ્રવેશને લઈને બેઠક યોજવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. શંકરસિંહ ફરી કોંગ્રેસમાં જોડાય તે અંગે મંથન કરવામાં આવ્યું હતું. ભરતસિંહ સોલંકી થકી શંકરસિંહને કોંગ્રેસમાં લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જો કે, આ મામલે હજી સત્તાવાર રીતે કોંગ્રેસ દ્વારા કે શંકરસિંહ વાઘેલા દ્વારા નિવેદન સામે આવ્યું નથી. તો શંકરસિંહના કોંગ્રેસમાં પ્રવેશ મામલે અંતિમ નિર્ણય હાઇકમાન્ડ લેશે.
શંકરસિંહની કોંગ્રેસમાંથી એક્ઝિટની કથા!
2017ની ચૂંટણી પહેલા શંકરસિંહ મુખ્યમંત્રીના ઉમેદવારની જીદ લઈને બેઠા હતા
કોંગ્રેસ શંકરસિંહને મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરે તેવી જીદ હતી
કોંગ્રેસે ચૂંટણી પછી મુખ્યમંત્રી નક્કી કરવાની વાતને પકડી રાખી હતી
શંકરસિંહે નક્કી કરી લીધું કે હવે કોંગ્રેસ તેમને સીએમ પદના ઉમેદવાર નહી બનાવે
એ સમયે જ રાજ્યમાં રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી થવાની હતી
બરાબર 2017 વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી થવાની હતી
કોંગ્રેસને ભનક લાગી કે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાનો પ્રયત્ન થશે
શંકરસિંહે પોતાના વેવાઈ બળવંતસિંહ રાજપૂતને પાંચમાં ઉમેદવાર તરીકે ઉભા રાખેલા
પ્લોટ એવો હતો કે કેટલાક ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામા આપે
કેટલાક ધારાસભ્યો કોંગ્રેસમાં રહીને ક્રોસ વોટિંગ કરે અને બળવંતસિંહને જીતાવે
કોંગ્રેસને શંકરસિંહની આખી ગેમની ગંધ આવી ચૂકી હતી
કોંગ્રેસના 6 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા અને 2 ક્રોસ વોટિંગ કરવાના હતા
કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને લઈને બેંગલુરુના રિસોર્ટમાં પહોંચી
કોંગ્રેસ તરફી 2017માં છોટુુ વસાવાએ મતદાન કરેલું અને અહેમદ પટેલ સાંસદ બન્યા હતા
બળવંતસિંહ જીતે તો અહેમદ પટેલની હાર થાય એમ હતી
રાજ્યસભાની આ ચૂંટણી પછી શંકરસિંહ કોંગ્રેસને ન ગમતા નેતા બની ગયા હતા
કોંગ્રેસેએ પણ આરોપ લગાવ્યો હતો કે તેમના પર કેસ થયા છે તેના બદલામાં ભાજપને મદદ કરે છે
અમદાવાદ કોંગ્રેસની કમાન સંભાળશે દિનેશ શર્મા
તો આ તરફ અમદાવાદ કોંગ્રેસમાં પણ મોટાપાયે ફેરફાર થઈ રહ્યા છે. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે દિનેશ શર્માનું નામ લગભગ નક્કી છે. તો AMCમાં વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણને બનાવાય તેવી પુરી શકયતા છે. જણાવી દઈએ કે, AMCમાં અઢી વર્ષ માટે વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન રહી શકે છે અને બાકીના અઢી વર્ષ માટે નિરવ બક્ષીનું નામ વિપક્ષના નેતા માટે આગળ છે. તો બીજી તરફ AMCમાં વિપક્ષના નેતા બનવા માટે કોંગ્રેસમાં ખેંચતાણ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે શહેઝાદ પઠાણ અને કમળાબેન ચાવડા વચ્ચે સોશિયલ મીડિયામાં ખેંચતાણ ચાલતી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.