ગાંધીનગરઃ નોડલ એજન્સી નાફેડે મગફળીની ખરીદીમાંથી પોતાને મુક્ત કરવાની માગ કરી છે. નાફેડે પોતાને મગફળીની ખરીદીમાંથી મુક્ત કરવા કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી. નાફેડના પત્ર મામલે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે. ભાજપ સરકારના વાંકે ખેડૂતોએ ભોગવવાનો વારો આવ્યો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.
નાફેડે સ્પષ્ટ કર્યું કે મગફળી તુવેલ મગની ખરીદી અમે કરવાના નથી તેમ છતા ખેડૂતોને ગુમરાહ કરાઈ રહ્યાના પણ વાર કરાયા હતા. સરકારની ભ્રષ્ટ અને ગેરનીતિઓના કારણે નાફેડ ખરીદી નહીં કરે તેવું નિવેદન શકિતસિંહ ગોહિલે આપ્યુ હતું.
શક્તિસિંહે કહ્યું કે ગેરરીતિ સરકાર આચરે છે ખેડૂતો ભોગવે છે. ખેડૂતોની હાલત દીવસે દીવસે બગડી રહી છે. ગોડાઉનોની ચકાસણી બાદ જણાયુ કે ખરીદીની ગાઈડલાઈનો અનુસરાતી નથી.