કોરોના વાયરસને પગલે દેશભરમાં લોકડાઉન છે જેને કારણે અનેક જગ્યાએ ગુજરાતીઓ ફસાયા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ આવા ફસાયેલા ગુજરાતીઓની મદદે આવ્યાં હતાં. ઉત્તરખંડના હરિદ્વારમાં ફસાયેલા ગુજરાતીઓની શક્તિસિંહે મદદ કરી હતી અને હવે તેઓ બસ દ્વારા પરત ફરશે.
હરિદ્વારમાં ફસાયેલા લોકોને રાહત
કોંગી નેતા શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને રાજ્ય સરકારને કરી અપીલ
ઉત્તરાખંડ સરકારે ગુજરાતીઓ માટે કરી આપી બસની વ્યવસ્થા
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પીઢ નેતા શક્તિસિંહ ગોહિલના પ્રયાસથી હરિદ્વામાં ફસાયેલા લોકો પરત વતન ફરશે. ઉત્તરાખંડ સરકારે ફસાયેલા લોકો માટે બસની વ્યવસ્થા કરી છે. જેના દ્વારા તમામ લોકોને અમદાવાદ પહોંચાડવામાં આવશે. હરિદ્વારામાં ફસાયેલા લોકોને લઇ બસ ગુજરાત આવવા રવાના થઇ છે જે આવતીકાલે ગુજરાત પહોંચશે.
આપને જણાવી દઇએ કે, શક્તિસિંહ ગોહિલે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર બિહાર, ઉત્તરાખંડ તથા પશ્ચિમ બંગાળમાં લોકડાઉનને કારણે ફસાયેલા લોકોની વિગતો સાથે એક વીડિયો તથા કેટલીક માહિતી ટ્વીટ કરીને વિવિધ રાજ્યોની સરકાર પાસે મદદની અપીલ કરી હતી. જેમાં ઉત્તરાખંડ સરકારે કોંગ્રેસી નેતાની અપીલને ધ્યાને લઇને ફસાયેલા લોકોને ગુજરાત પરત મોકલી આપવાની વ્યવસ્થા કરી છે.
હરિદ્વારમાં ફસાયું હતું એક ગ્રુપ
3 groups of #Gujaratis of #Bhavnagar district have been stranded at Haridwar , Uttarakhand. I appeal @tsrawatbjp for urgent help for #Gujarat.
Contact persons :Bhadreshbhai Pandya
#9714679789,
Govarddhanbhai Kucha
#919429231710
Sukhdevsinh
#919824284093
લોકડાઉન પહેલા ગુજરાતનું એક ગ્રુપ હરિદ્વાર યાત્રાએ ગયું હતું પરંતુ પ્રધાનમંત્રી મોદીએ 24 માર્ચે લોકડાઉનની જાહેરાત કરતા ટ્રાન્સપોર્ટ સેવાઓ થંભી ગઇ હતી જેના પગલે ભાવનગરનું એક ગ્રુપ હરિદ્વારમાં ફસાયું હતું. જેમના માટે ઉત્તરાખંડ સરકારે બસની વ્યવસ્થા કરી આપતા આવતીકાલે તે ગુજરાત પહોંચશે.
બિહાર તથા પશ્ચિમ બંગાળમાં પણ ફસાયા છે ગુજરાતીઓ
Atleast 16 uneducated Maldharis residing in Ahmedabad,#Gujarat have been stranded at National Guest House,nr Veena Cinema Hall, #Patna. They don't have money or food. I appeal @NitishKumar for urgent help. Contact person:Jinabhai Bharwad #9879814795. pic.twitter.com/IJI2EQZ4Fy
શક્તિસિંહ ગોહિલે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર બિહારમાં ફસાયેલા ગુજરાતીઓનો એક વીડિયો ટ્વીટ કર્યો હતો. જેમાં ફસાયેલા લોકો આપવીતી જણાવી રહ્યા છે. આ સાથે જ શક્તિસિંહે પશ્ચિમ બંગાળમાં ફસાયેલા કેટલાક ગુજરાતીઓની વિગત ટ્વીટ કરી હતી.
Atleast 6 Gujaratis residing in Morbi, #Gujarat have been stranded at Asansol, Gopalpur Bus stand , GT road , West Bengal . I appeal @MamataOfficial Ji & @CMOGuj for urgent help. Contact person: Ishvarbhai klariya
9586948903 &
Nitin panchotiya
9974961444
શું છે બિહાર તથા પ.બંગાળમાં ફસાયેલા ગુજરાતીઓની સ્થિતિ
બિહારમાં ફસાયેલા અમદાવાદના માલધારી સમાજના લોકો હાલ પટનાના નેશનલ ગેસ્ટ હાઉસમાં રોકાયા છે. જ્યાં તેઓ સ્થાનિક બજારમાંથી વસ્તુઓ લાવીને ગુજરાન ચલાવી રહ્યા છે. તો મોરબીના 4 લોકો પ.બંગાળના આસલનોલમાં ફસાતા ગુજરાતીના મૂળ વતનીએ તેમને આશરો આપ્યો હતો. હાલ આ લોકો આસનસોલમાં ગોપાલપુર બસ સ્ટેશનની સામે આવેલા એક શોરૂમમાં રોકાયા છે.
ગુજરાતના DGPએ ગુજરાત બહાર ફસાયેલા લોકો માટે આપ્યો નંબર
રાજ્યના DGP શિવાનંદ ઝાએ તાજેતરમાં એક પ્રેસ કોન્ફન્સ યોજી હતી જેમાં તેમણે ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિ અંગેની જાણકારી આપી હતી આ સાથે જ તેમણે ગુજરાતની બહાર ફસાયેલા લોકો માટે 1070 નંબર જાહેર કર્યો હતો, જેના પર ફોન કરીને ગુજરાત બહાર ફસાયેલા લોકો મદદ માગી શકે છે.