મહારાષ્ટ્રમાં ઉદ્ઘવ ઠાકરે સરકારની મુસીબતમાં ઓછી થઇ રહી નથી. સરકારમાં સામેલ કોંગ્રેસે શિવસેના અને શરદ પવાર પર આકરા પ્રહાર કર્યા હતા.
મહારાષ્ટ્રમાં શિવસેના અને કોંગ્રેસ વચ્ચે ખટરાગ
કોંગ્રેસે રાઉતને ગણાવ્યા પવારના પ્રવક્તા
ભાજપે ગણાવી કૈટ ફાઇટ
જેના કારણે શિવસેના અને કોંગ્રેસ વચ્ચેનો ખટરાગ હોવાનું સ્પષ્ટ થયું છે. ઉલ્લેખનીય છે કે, શનિવારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું હતું કે, શિવસેનાના સાંસદ સંજય રાઉત NCP ચીફ શરદ પવારના પ્રવક્તા બની ગયા છે.
હાલ સોનિયા ગાંધી UPAના અધ્યક્ષ
તેમણે આવું એટલા માટે કહ્યું કે, ગત દિવસોમાં સંજય રાઉતે કહ્યું હતું કે, શરદ પવારને યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ એટલે કે UPAના અધ્યક્ષ બનાવી દેવા જોઇએ. હાલ સોનિયા ગાંધી UPAના અધ્યક્ષ છે.
પટોલેઓ કહ્યું- રાઉતને કોઇ અધિકાર નથી
શિવસેનાના નેતૃત્વ વાળી મહાવિકાસ અઘાડીની સરકારનો હિસ્સો કોંગ્રેસ પણ છે. શનિવારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ રાજ્યસભા સાંસદ અને શિવસેનાના પ્રવક્તા સંજય રાઉત પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સંજય રાઉત શરદ પવારના પ્રવક્તા બની ગયા લાગે છે. શિવસેના યુપીએનો હિસ્સો નથી. માટે આ પ્રકારના નિવેદન આપવાનો તેમને અધિકાર નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, આ મામલે તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરે સાથે મુલાકાત કરવાના છે.
શું કહ્યું હતું સંજય રાઉતે?
ઉલ્લેખનીય દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, શરદ પવારને યુપીએના અધ્યક્ષ બનાવવા અંગેનું સૂચન આપ્યું હતું. તેમણે કહ્યું કે, જો તમે દેશમાં વિપક્ષને મજબૂત કરવા માગો છો તો શરદ પવાર જેવા નેતાને યુપીએના અધ્યક્ષ બનાવી દેવા જોઇએ. તેમની લીડરશીપ બધાને સ્વીકાર્ય છે.
ભાજપે તેને કૈટ ફાઇટ ગણાવી
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના પીઢ નેતા દેવેન્દ્ર ફડણવીસે કોંગ્રેસ અને શિવસેના વચ્ચે થઇ રહેલી તુ-તુ-મે-મેને કેટ ફાઇટ ગણાવી હતી. તેમણે ટોણો મારતા જણાવ્યું કે, ટીમનો 16મો ખેલાડી માગ કરી રહ્યો છે કે, કેપ્ટન કોણ હોવું જોઇએ.