કોંગ્રેસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહની ઉમેદવારી રદ કરવાની માગ કરી છે. કોંગ્રેસે આ મામલે ચૂંટણી પંચમાં રજૂઆત કરી છે કે, અમિત શાહે સોંગદનામામાં સાચી માહિતી આપી નથી. કોંગ્રેસે શાહની ઉમેદવારી રદ કરવાની માગ કરી છે.
ભાજપના અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહની ઉમેદવારી રદ કરવાની માગ ઉઠી છે. કોંગ્રેસે અમિત શાહ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. અમિત શાહે પોતાના સોંગઘનામામાં બે માહિતી ખોટી આપી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ ફરિયાદ કરી છે કે, શાહે સોગંદનામામાં એક પ્લોટ અને પોતાના દીકરા જય શાહના દેવાની માહિતી ખોટી આપી હોવાનો આક્ષેપ કર્યો છે.
ચાવડાએ સ્પષ્ટતા કરી છે કે, સરકારી આંકડા મુજબ અમિત શાહની સંપતિ 66 લાખ છે જ્યારે તેમને માત્ર 25 લાખ બતાવી હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. આ વાતને લઈને તેમનું ફોર્મ રદ કરવામાં આવે તેવી કોંગ્રેસે ચૂંટણી પંચને રજૂઆત કરી છે. સી.જે ચાવડાએ અમિત શાહે જયારે રાજ્યસભામાં ઉમેદવારી નોંધાવી હતી તે સમયનું સોંગદનામાની વાત કરી હતી.
તેમને કહ્યું હતું કે, તે સમયે તેમને જે માહિતી આપી હતી અને હાલ જે માહિતી છે તેમા ખોટી માહિતી છે. તેમને તે સમયે પોતાની સંપત્તિ ગિરવે મુકીને તેમને પોતાના દીકરાની કંપનીને લોન અપાવી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ વખતે તેમને આ કોઈ ઉલ્લેખ કર્યો ન હોવાની માહિતી છે. જેને લઈને કોંગ્રેસે હાલ ઉમેદવારી રદ કરવાની માગ કરી છે.
ઉલ્લેખનિય છે કે, આ વખતે ગાંધીનગરમાં અમિત શાહ ઔતિહાસીક જીત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ આ પ્રકારના ખોટા હવાતિયા મારતા હોવાની વાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ કરી હતી.
ભરત પંડ્યાએ કહ્યું કે કોંગ્રેસ અમિત શાહની છાપ બગાડવાની કોશિશ કરી રહ્યા છે. તેમને જે લોન લીધી હતી તેની ભરપાઈ કરી દીધી છે અને તેમને પોતાની સંપતિ બેંક પાસેથી છોડાવી લીધી છે. કોંગ્રેસ કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર આ રીતના આક્ષેપ કરી રહી છે.