રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલની CAA પર ટીપ્પણી પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદનું નિવેદન આવ્યું છે. તેઓએ કહ્યું કે CAAની સંવૈધાનિક સ્થિતિ અસ્પષ્ટ છે. જો સર્વોચ્ચ ન્યાયાલયે દખલગીરી ન કરી તો તે કાયદાના પુસ્તકમાં કાયમ રહેશે. CAA પર રાજ્ય સરકારોની અલગ અલગ રાય છે. તેમને હજુ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી જાહેરાતની રાહ જોવી પડશે. જો સુપ્રીમ કોર્ટ દખલ નહીં કરે, તો તે કાયદાના પુસ્તકમાં રહેશે અને જો તે કાયદાના પુસ્તકમાં છે, તો તે બધા દ્વારા સ્વીકારવું પડશે.
સલમાન ખુર્શીદનું નિવેદન
CAAની સંવૈધાનિક સ્થિતિ અસ્પષ્ટ
રાજ્ય સરકારોની અલગ અલગ રાય
કોઈ રાજ્ય તેને લાગૂ કરવાની મનાઈ કરી શકે નહીંઃ સિબ્બલ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) પસાર થાય તો કોઈ પણ રાજ્ય તેનો અમલ કરવાનો ઇનકાર કરી શકે નહીં. સીએએ લાગુ કરવા માટે ઇનકાર કરવો શક્ય નથી અને તેનો અમલ કરવાનો ઇનકાર કરવો ગેરબંધારણીય હશે. આ સાથે જે તેઓએ કેરળના રાજ્યપાલ પર નિશાન સાધ્યું છે. સિબ્બલે કહ્યું કે તેમને સંવિધાન વિશે ખ્યાલ નથી એવી વાત તેઓએ કેરળ લિટરેચર ફેસ્ટિવલમાં રહી હતી.
S Khurshid: It's a matter where state govts have a very serious difference of opinion with centre as far as this law is concerned. So we would wait for final pronouncement made by SC.Ultimately SC will decide&till then everything said/done/not done is provisional&tentative.(18.1) https://t.co/nnSTs2MDzX
કપિલ સિબ્બલે કહ્યું કે સીએએ સંસદની પાસે છે તો કોઈ પણ રાજ્ય તેને લાગૂ કરવાની મનાઈ કરી શકે નહીં. આ સંભવ નથી, અસંવૈધાનિક છે. તમે તેનો વિરોધ કરી શકો છો, વિધાનસભામાં રજૂઆત કરી શકો છો અને સરકારને તેને પાછો લેવાની અપીલ કરી શકો છો.
કેરળ અને પંજાબ વિધાનસભામાં પ્રસ્તાવ પસાર
કપિલ સિબ્બલે આ વાત એવા સમયે કહી છે જ્યારે કેરળ અને પંજાબ સરકારે સીએએ ને રાજ્યમાં લાગૂ કરવાની ના પાડી છે. કેરળ સરકારે વિધાનસભામાં પ્રસ્તાવ પારિત કરવા માટે રાજ્યમાં સીએએ ને લાગૂ ન કરવાની વાત કહી હતી. પંજાબની કેપ્ટન અમરિન્દર સરકારે પણ સીએએ ની વિરુદ્ધમાં પ્રસ્તાવ પસાર કર્યો હતો. તેમાં કહ્યું હતું કે આ કાયદાથી રાષ્ટ્રના ધર્મનિરપેક્ષતાને અસર થયા છે. એવામાં સરકાર નાગરિકતા સંશોધન કાયદો, રાષ્ટ્રિય નાગરિક રજિસ્ટર અને રાષ્ટ્રિય જનસંખ્યા રદિસ્ટરને વિશે સંસદની ઈચ્છાથી આગળ વધશે.