દેશમાં સતત વધી રહેલી મોંઘવારી પર કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફ્રેંસ કરી હતી. જેમાં તેમણે સરકાર પર આકરાં પ્રહારો કર્યા હતા.
મોંઘવારી પર કોંગ્રેસના પ્રહાર
મોદી સરકાર આપી રહી છે મોંઘવારીની ગિફ્ટ
મોંઘવારી મામલે મોદી સરકાર ધર્મનિરપેક્ષ
દેશમાં સતત વધી રહેલી મોંઘવારી પર કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફ્રેંસ કરી હતી. આ દરમિયાન સુરજેવાલાએ કહ્યું કે, મોંઘવારીના કારણે નવા વર્ષમાં એક એપ્રિલથી લોકો પર એક લાખ 25 હજાર 407 કરોડ રૂપિયાનો બોઝ આવ્યો છે. તેમણે કહ્યું કે, સરકાર ખેડૂતોના આંદોલનનો બદલો લઈ રહી છે. ડીએપી ખાતરમાં 50 કિલોની થેલી પર 150 રૂપિયાનો વધારો કર્યો છે. મોદી રોજના પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારીને ગુડ઼઼મોર્નિંગ ગિફ્ટ આપી રહ્યા છે. છેલ્લા 12 દિવસમાં 10મી વાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે. જેનાથી પેટ્રોલમાં 7.20 રૂપિયાનો વધારો થઈ ચુક્યો છે.
62 करोड़ देश के अन्नदाताओं पर टैक्स का बोझ!
मोदी सरकार देश के किसानों से किसान आंदोलन का बदला ले रही है।
कल शाम को DAP खाद के 50kg बैग के दाम ₹150/बैग बढ़ा दिए गए!
— Randeep Singh Surjewala (@rssurjewala) April 2, 2022
તેમણે કહ્યું કે, જનતા મોદી સરકારની મોંઘવારીથી પરેશાન છે. મોદી સરકારનો મંત્ર છે, ચૂંટણીમાં મળેલી જીત લૂંટનું લાયસન્સ છે. મોંઘવારીથી દરેક ઘર પર અટેક કરી રહ્યા છે. એલપીજી સિલેન્ડર-કમર્શિયલ સિલેન્ડરમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઘરેલૂ સિલેન્ડરના ભાવ દશ દિવસ પહેલા 50 રૂપિયા વધાર્યા હતા.
भारतीय सभ्यता में नव वर्ष ख़ुशी का दिन है।
पर ये नव वर्ष मोदी सरकार में महंगाई की पीड़ा लेकर आया है।
— Randeep Singh Surjewala (@rssurjewala) April 2, 2022
800 જરૂરી દવાઓના ભાવમાં 11 ટકાનો વધારો
સુરજેવાલાએ કહ્યું કે, સીએનજી, પીએનજી પર પ્રતિ કિલો 80 પૈસા વધારી દીધા છે. છેલ્લા એક મહિનામાં 4 રૂપિયા/ કિલો વધી ચુક્યા છે. પીએનજીના ભાવ 5.85 રૂપિયા યુનિટ સુધી વધારી દીધા છે. ટોલના ભાવ વધ્યા છે. કેન્દ્ર સરકારે 10 ટકાથી 18 ટકા સુધી ટોલના ભાવ વધાર્યા છે. બિમાર અને દવા સુધીના ભાવ પણ વધ્યા. 800 જરૂરી દવાઓના ભાવ 11 ટકા સુધી વધારી દીધા છે. તાવથી લઈને કોરોના, હ્દયની બિમારી, લોહીની કમી, વિટામીનની ગોળીઓના ભાવ પણ વધી ગયા છે.
देश में अब महंगाई ही “इवेंट” है
देश “महँगे मोदी-वाद” से पस्त और त्रस्त
भाजपा की चुनावी जीत बनी “लूट का लाइसेंस”
New Year Gift of BJP – India burdened by ₹1,25,407.20 Crore
Modi Government’s ‘Mantra’ now is “ELECTORAL VICTORY IS A LICENSE TO LOOT”
— Randeep Singh Surjewala (@rssurjewala) April 2, 2022
તેમણે કહ્યું કે, ઘર બનાવાનું મોંધુ થયું છે, સ્ટીલ, સીમેન્ટ, લાકડા, સેનિટરી ફિટિગ્સના ભાવ પણ વધ્યા છે. તેનો ફાયદો મોદીજીના મિત્રોને થઈ રહ્યો છે. લોનના વ્યાજ પર મળતી છૂટ ખતમ કરી દીધી. પીએફ અકાઉન્ટ પર ટેક્સ લગાવી દીધો. કારના ભાવ વધવા લાગ્યા.ટીવી, ફ્રીઝ મોંઘા થઈ ગયા. ચૂંટણીમાં ભાજપ હિન્દુ-મુસલમાન કરે છે. અને ચૂંટણી જીત્યા બાદ જનતાને લૂંટે છે.
તેમણે વધુમાં કહ્યું કે, ભાજપ મોંઘવારીના મામલે કોઈ ભેદભાવ કરતી નથી. મોંઘવારીના મામલે મોદી ધર્મનિરપેક્ષ છે. મુખ્યન્યાયાધીશની ટિપ્પણી પર રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, સીબીઆઈ, ઈડી, આઈટી જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓ સરકારની આગળ નતમસ્તક અને ભાજપના સંગઠન તરીકે કામ કરી રહી છે. કોર્ટમાં બેસીને ચિંતા વ્યક્ત કરવાથી કશું થવાનું નથી. મુખ્ય ન્યાયાધીશ અને તેમના સાથે જ્યાં સુધી કઠોર પગલા લઈને જવાબદારી નિભાવતા અંકુશ નહીં લગાવે ત્યાં સુધી ફક્ત વાતો કરવી નકામી છે.