ઉત્તરપ્રદેશમાં 2019માં યોજાનારા કુંભ મેળાની તૈયારીના ભાગરૂપે શહેરના સર્કલનું સૌંદર્યકરણ અને રસ્તાઓ પહોળા કરવાનું કામ ચાલી રહ્યું છે. જ્યારે અલાહાબાદમાં જવાહરલાલ નહેરૂની પ્રતિમા શિફ્ટ કરવાના મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો.
ત્યારે કોંગ્રેસ અને સપાના કાર્યકર્તાઓનો આરોપ છે કે સર્કલ પાસે ભાજપના સાસંદ શ્યામા ચરણ ગુપ્તાના બંગલો અને બાલસન સર્કલ પર લાગેલી પંડિત દીન દયાળ ઉપાધ્યાયની પ્રતિમાની સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી.
પ્રયાગમાં જાન્યુઆરી 2019માં યોજાનારા કુંભ મેળાની તૈયારીના ભાગરૂપે શહેરના સર્કલનું સૌંદર્યકરણ અને રસ્તાઓ પહોળા કરવાનું કામ ચાલી રહ્યું છે. જેના પગલે કોંગ્રેસ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે દેશના પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરૂનું અપમાન કર્યું છે.