મહેસાણા જિલ્લા કોંગ્રેસના આંતરિક વિવાદ મુદ્દે બહુચરાજીના ધારાસભ્યનું ભરત ઠાકોરે નિવેદન કર્યુ છે. તેમાં તેમણે જણાવ્યુ હતું કે મહેસાણા કોંગ્રેસ જિલ્લાના કોંગ્રેસ સંગઠનના હોદેદારો મનમાની કરે છે. જિલ્લા સંગઠનના વિવાદના કારણે ધારાસભ્ય કોંગ્રેસ છોડી રહ્યાં છે.
ભરત ઠાકોરે વધુમાં જણાવ્યું કે સંગઠનમાં વ્યક્તિવાદ ચાલશે તો કોંગ્રેસને નુકશાન થશે. મહેસાણા જિલ્લા કોંગ્રેસ સંગઠન નબળું પડી રહ્યું છે. ચુંટણી પહેલા ફેરફાર નહીં થાય તો નુકસાન જશે. કોંગ્રેસ હાઈકમાન્ડે જિલ્લામાં એક્શન લે તેં જરૂરી છે.
લોકસભા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં આતંરિક નારાજગી અને વિખવાદ હવે જાહેરમાં ઉજાગર થવા લાગ્યા છે. કોંગ્રેસની છાવણીમાંથી થોડા દિવસો પહેલાં જ ઉંઝા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલે ધારાસભ્યપદેથી અને કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપી દેતાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. કારણ કે આશાબહેન પટેલ કોંગ્રેસનું બહુ મોટુ અને મજબૂત માથુ ગણાતું હતું. આશાબહેનના રાજીનામાને પગલે લોકસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.
સૌથી ચોંકાવનારી અને નોંધનીય વાત તો એ છે કે કોંગ્રેસને મોકલેલા રાજીનામાંના પત્રમાં આશાબેને લખ્યું છે કે રાહુલજીનું નેતૃત્વ નિષ્ફળ ગયું છે જ્યારે વડાપ્રધાનમોદીએ સવર્ણોને ૧૦ ટકા અનામત આપી છે ત્યારે કોંગ્રેસને નાતિ-જાતિને લડાવવામાં રસ છે.
આશાબહેન પટેલે રાહુલના નેતૃત્વને નિષ્ફળ ગણાવી વડાપ્રધાન મોદીના ભરપૂર વખાણ કરતાં ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસને મોકલેલા રાજીનામાંમાં આશાબહેન પટેલે લખ્યું કે છેલ્લા એક વર્ષથી વારંવાર પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરે રજૂઆત કરવા છતાં પણ સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે તાલમેલ સાધવા માટે કોઈ પ્રયાસો કરવામાં આવ્યા નથી.
રાહુલજીનું નેતૃત્વ પણ નિષ્ફળ નીવડ્યું છે. પ્રજાના પ્રશ્નો પણ હલ કરી શકાતા નથી. અમારા મતવિસ્તારમાં પ્રજાના પ્રશ્નો માટે અમે સતત લડીએ છીએ અને ત્યારે પાર્ટી તરફથી કોઈ સહકાર મળતો નથી. જેના કારણે અમે અને પ્રજા હેરાન થઈએ છીએ.
#Mehsana#Congress ના આંતરિક વિવાદ મામલે બહુચરાજીના ધારાસભ્યનું ભરત ઠાકોરનું નિવેદન "સંગઠનમાં વ્યક્તિવાદ ચાલશે તો કોંગ્રેસને નુકશાન થશે"
"ચુંટણી પહેલા ફેરફાર નહીં થાય તો નુકસાન જશે" pic.twitter.com/jQGNwlT9LD
હાલ જ્યારે આપણા વડાપ્રધાને ૧૦ ટકા સવર્ણ અનામત આપવાનો પ્રયાસ કર્યો છે ત્યારે કોંગ્રેસ સંગઠન નાતિ-જાતિ અને ધર્મના નામે લોકોને લડાવવામાં રસ લે છે. આ સંજોગોમાં કોંગ્રેસમાં કે કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે કામ કરવું મુશ્કેલ બન્યું છે. આથી હું કોંગ્રેસના તમામ હોદ્દા સભ્યપદ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપું છું.