નીતિ આયોગના સંચાલન પરિષદની બેઠકના કેટલાક કલાક પહેલા કોંગ્રેસ શાસિત ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી (HD Kumaraswamy) એ અહીં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ (Manmohan Singh) સાથે મુલાકાત કરી આ બેઠકમાં ઉઠાવા જઇ રહેલા મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કર્યો.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ. કુમારસ્વામી અને પુડુચેરીના મુખ્યમંત્રી વી નારાયણસ્વામીએ મનમોહન સિંહ સાથે બેઠક કરી હતી.
સૂત્રો અનુસાર, આ મુલાકાત દરમિયાન આ મુખ્યમંત્રીઓએ વડાપ્રધાન મોદીની યોજાનારી નીતિ આયોગની સંચાલનની પરિષદની બેઠકના એજન્ડા અને તેમા ઉઠાવેલા મુદ્દા પર ચર્ચા કરી. તથા પૂર્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન લીધુ હતું.
કોંગ્રેસના એક સૂત્રે જણાવ્યું કે, '' કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ નીતિ આયોગની બેઠકમાં ખેડૂતો સાથે જોડાયેલા મુદ્દા ખાસ કરીને દેવા માફીની અસર સાથે જોડાયેલા વિષય ઉઠાવી શકે છે''. આ પહેલા શુક્રવારે રાત્રે કમલનાથની તરફથી આપવામાં આવેલા રાત્રી ભોજનમાં ગહલોત, બઘેલ અને નારાયણસ્વામી હાજર રહ્યા હતા. અને નીતિ આયોગની બેઠકના સંદર્ભમાં ચર્ચા કરી હતી.
આપને જણાવીએ કે, નીતિ આયોગની બેઠકમાં દુકાળની સ્થિતિ, કૃષિ ક્ષેત્રથી સંકટ, વર્ષા જળ સંચય અને ખરીફ પાકની તૈયારીઓ મુદ્દે વિચાર વિમર્શ થશે. સત્તાવાર નિવેદન અનુસાર, બેઠકમાં પાંચ સૂત્રી એજન્ડામાં આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ, કૃષિમાં બદલાવ, અને સુરક્ષા સંબંધીત મુદ્દા સામેલ છે.